પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના અવતારી કાર્યના દર્શન ઘડાવનારા સૌ. ઉમા રવિચંદ્રનના ભાવચિત્રો
સૌ. ઉમાના વિદ્યાલયીન જીવનના લગભગ ૨૫ થી ૩૦ વર્ષ પછી તેમણે આ ચિત્રો બનાવ્યા છે; પરંતુ તેમના ચિત્રોના સરળ અને સહજ રેખાંકન જોઈ કોઈને પણ એવું પ્રતીત નહીં થાય. આ ચિત્રો કોઈ કુશળ ચિત્રકાર દ્વારા બનાવેલા ચિત્ર સમાન જ છે. તેમના ચિત્રોની તરફ કલાની દૃષ્ટિએ જોતાં તે મનને અત્યંત હરનારા લાગે છે.