ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ !

પ્રાચીન કાળમાં જ્યારે અહીં શિવલિંગ અથવા નાગેશ્વર મંદિર અસ્તિત્વમાં નહોતું, ત્યારે એક શિવભક્ત અહીં રહેતી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને ભક્તોનું સંકટોથી રક્ષણ કરવા માટે તે શિવને ભાવપૂર્ણ વિનંતી કરતી હતી.

શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર

“પ્રાણનાથ, તમે મારા પર જેટલો પ્રેમ કરો છો, તેટલો જો શ્રીરામના ચરણોમાં રાખશો, તો તમારા જન્મનું સાર્થક થશે.” તેના આ ઉદ્દગાર સાંભળીને તુલસીદાસજી વિરક્ત થયા. તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો.

શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ

શ્રાવણ મહિનામાં પ્રત્‍યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્‍ન થાય છે અને શિવસાયુજ્‍ય મુક્તિ મળે છે.

શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

અધ્‍યાત્‍મમાંના શાસ્‍ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્‍પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્‍યાનમાં આવશે.

ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્‍વર મંદિરની જાત્રાની વિશિષ્‍ટતા

ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્‍વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્‍યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે.

ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્‍થા નાસાના શાસ્‍ત્રજ્ઞ આ ક્ષેત્રનું સંશોધન કરી રહ્યા છે. આ ચુંબકીય પથ્‍થરના થરની ચુંબકીય લહેરોનું માનવીના મગજ ઉપર શું પરિણામ થાય છે, એનો આ શાસ્‍ત્રજ્ઞ અભ્‍યાસ કરી રહ્યા છે.

ધનુષકોડી

ધનુષકોડીની ભીષણ વાસ્‍તવિકતા પ્રત્‍યક્ષ નિહાળ્‍યા પછી સર્વ પક્ષોના રાજ્‍યકર્તાઓએ ભારતીય તીર્થક્ષેત્રો ભણી કેવું દુર્લક્ષ સેવ્‍યું છે, એ ધ્‍યાનમાં આવે છે. કાશીને સ્‍માર્ટ સિટી બનાવવાની ઘોષણા કરનારાં ભારતના વિકાસ પુરુષો કાશીની યાત્રાને પૂર્ણત્‍વ પ્રદાન કરનારા ધનુષકોડી નગરને પણ ન્‍યાય આપશે કે કેમ ?, એ પ્રશ્‍ન જ છે.

શ્રીલંકામાં આવેલાં પંચ ઈશ્‍વર મંદિરોમાંનું કેતીશ્‍વરમ્ મંદિર !

શ્રી.સેલ્‍વનાથને કહ્યું, ‘‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય માટે સ્‍થાપત્‍ય શાસ્‍ત્ર વિશે કોઈપણ માહિતીની આવશ્‍યકતા હોય તો તે હું આપીશ અથવા તે વિશેના જૂના ગ્રંથો આપીશ.’’ આ બાબત પરથી ‘કેતીશ્‍વરમ્ જવાનું આયોજન એ ઈશ્‍વરી આયોજન હતું અને કેવળ ગુરુકૃપાથી શ્રી. સેલ્‍વનાથન્ સાથે મેળાપ થયો’, એવું અમારા ધ્‍યાનમાં આવ્‍યું.’

શિવજીનાં વિવિધ રૂપો

ભૂતનાથ આ વેતાળના વર્ગમાં આવેલા એક ક્ષુદ્રદેવ છે. ગોમંતકમાં એના દેવસ્‍થાનો છે. આ મધ્‍યરાત્રે પોતાના સૈનિકો સાથે સંચાર કરવા માટે નીકળે છે. તે સમયે તેમના હાથમાં એક ડંડો અને ખભા પર ધાબળો હોય છે, એવું કહેવાય છે. તે પગપાળા ભ્રમણ કરે છે; એટલા માટે તેમના પગના પગરખાં ઘસાઈ જાય છે, આ સમજણને કારણે મહારાષ્‍ટ્ર સ્‍થિત સાવંતવાડી વિસ્‍તારના લોકો તેમને પ્રત્‍યેક મહિને નવા પગરખાં અર્પણ કરે છે.’

જ્‍યોતિર્લિંગોનાં સ્‍થાનો અને મહત્ત્વ

શિવની પૂજા બ્રાહ્મણે વિસર્જન કરવાની ન હોય, એટલે કે મૂર્તિ પરથી નિર્માલ્‍ય (ચઢાવેલાં ફૂલો) કાઢવાનું ન હોય; તેથી શિવના દેવાલયમાં ગુરવ હોય છે અને પાર્વતીના દેવાલયમાં ભોપી (દેવીનો પૂજારી) હોય છે. શિવપિંડી પરનું નિર્માલ્‍ય કાઢવાનું ન હોય.