ફળ-જ્‍યોતિષશાસ્‍ત્રમાંના મૂળભૂત ઘટકો : ગ્રહ, રાશિ અને કુંડળીમાંનાં સ્‍થાનો

હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્‍થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્‍ય કરવા માટે ભાગ્‍યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે.

નૈસર્ગિક કાળવિભાગ : વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ

ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્‍ને પ્રકારનો સમન્‍વય સાધ્‍ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે.

નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !

વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્‍ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્‍યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્‍ધને કારણે બનતા હોય છે.

જ્‍યોતિષશાસ્‍ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્‍ત્ર !

મૂળ જ્‍યોતિષશાસ્‍ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્‍કંધ છે. ‘સિદ્ધાંત’ સ્‍કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્‍યાદિઓનું ગણિત હોય છે.

ચંદ્રોદય ક્યારે થાય છે ?

સામાન્‍ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્‍ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.

‘કરિયર’ અને ‘ધનયોગ’નું જ્‍યોતિષશાસ્‍ત્રની દૃષ્‍ટિએ વિશ્‍લેષણ !

‘કુંડળી અનુસાર કયા ક્ષેત્રમાંથી અર્થપ્રાપ્‍તિ થશે ?’, તેનો વિચાર કરીને શિક્ષણ લેવું વધારે યોગ્‍ય હોય છે. ‘ધંધો કયો કરવો ? કયા ધંધામાં વધુ પૈસો મળશે ?’, તે માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ એટલે ૨, ૬ અને ૧૦ આ સ્‍થાનો, તેમજ રાશિમાંની ગ્રહસ્‍થિતિ વેપાર-ધંધાની દૃષ્‍ટિએ મહત્ત્વની પુરવાર થાય છે.

જન્‍મપત્રિકા બનાવી લેવાનું મહત્ત્વ સમજી લો !

જનોઈ, વિવાહ ઇત્‍યાદિ મંગળકાર્યોના પ્રસંગમાં, તેમજ કેટલીકવાર આપત્કાલીન પરિસ્થિતિમાં જન્મપત્રિકાની આવશ્યકતા હોય છે. જન્મપત્રિકા સરખી ન મૂકવાથી ખોવાઈ જાય તો અગવડ થાય છે, તેમજ તે ફરીવાર બનાવી લેવા માટે સમય અને પૈસાનો વ્યય થાય છે.

શનિ ગ્રહની ‘સાડાસાતી’ અર્થાત આધ્‍યાત્‍મિક જીવનને વેગ આપનારી પર્વણી !

સાડાસાતી એટલે સાડાસાત વર્ષોનો કાલખંડ. ૩ રાશિઓમાંથી ભ્રમણ કરવા માટે શનિ ગ્રહને લગભગ સાડાસાત વર્ષો લાગે છે. ‘વ્‍યક્તિની જન્‍મરાશિ, જન્‍મરાશિના પાછળની રાશિ અને જન્‍મરાશિની આગળની રાશિ’ આ રીતે ૩ રાશિઓમાંથી શનિ ગ્રહનું ભ્રમણ થતું હોય, ત્‍યારે વ્‍યક્તિને સાડાસાતી હોય છે.

અશુભકાળમાં જન્‍મ થયેલા બાળકની ‘જનનશાંતિ’ કરવી શા માટે આવશ્‍યક છે ?

બાળકનો જન્‍મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્‍યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્‍મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્‍ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું.

ઇચ્‍છિત કાર્ય શુભ મુહૂર્ત પર કરવાનું મહત્ત્વ

જો સંતોએ એકાદ કાર્ય માટે વિશિષ્‍ટ સમય કહ્યો હોય, તો જુદો મુહૂર્ત જોવાની આવશ્‍યકતા નથી હોતી. સંત ઈશ્‍વરસ્‍વરૂપ હોય છે. ઈશ્‍વર સ્‍થળ અને કાળની પેલે પાર હોય છે.