બીરભૂમ (બંગાળ) ખાતેનાં મહાસ્‍મશાનમાં બિરાજમાન રહેલી શ્રી તારાદેવી !

‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્‍લામાં છે. બકુરેશ્‍વર, નાલાહાટી, બંદીકેશ્‍વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.

કવળે, ગોવા સ્‍થિત નયનમનોહારી અને જાગૃત શ્રી શાંતાદુર્ગાદેવસ્‍થાન !

સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્‍છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્‌બુદ્ધિ આપો.

ચોટીલા (ગુજરાત) સ્‍થિત આદિશક્તિનું રૂપ રહેલા એવા શ્રી ચંડી-ચામુંડા દેવીના શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધેલા દર્શનનો વૃતાંત !

પાંચ સહસ્ર વર્ષો અગાઉ પાંડવો શ્રીકૃષ્‍ણને મળવા માટે દ્વારકા જતા હતા. તે સમયે તેમણે આ સ્‍થાન શોધીને અહીં દેવીની આરાધના કરી હતી.

કર્ણાટક રાજ્‍યના શૃંગેરી (જિલ્‍લો ચિક્કમગળુરૂ) અને કોલ્‍લુરૂ (જિલ્‍લો ઉડુપી) ખાતેનાં મંદિરો

કર્ણાટક રાજ્‍યના ઉડુપી જિલ્‍લામાં ‘સૌપર્ણિકા’ નદીના કાંઠે ‘કોલ્‍લુરૂ’ નામનું ગામ છે. આ ગામની પાછળ ‘કોડચાદ્રી’ નામનો પર્વત છે. સત્‍યયુગમાં દેવીએ કોડચાદ્રી પર્વત પર મૂકાસુરનો વધ કર્યા પછી દેવીનું ‘મૂકાંબિકા’ એવું નામ પડ્યું. આ પર્વત પર આદ્ય શંકરાચાર્યને મૂકાંબિકાદેવીએ દર્શન આપ્‍યા હતા.

યોગમાયાથી શ્રીવિષ્‍ણુ દ્વારા નરકાસુરનો વધ કરાવી લેનારાં શ્રી કામાખ્‍યાદેવી અને સર્વોચ્‍ચ તંત્રપીઠ રહેલું કામાખ્‍યા મંદિર !

મંદિરની ભીંત પર ‘તંત્ર ગણપતિ’ નામક ગણપતિ છે. કામાખ્‍યાદેવીના દર્શને જતી વેળા ભક્તો જળકુંડ નજીક રહેલા ગણપતિના દર્શન લે છે અને દેવીના દર્શન થયા પછી આ તંત્ર ગણપતિના દર્શન લે છે.

સતીનું બ્રહ્મરંધ્ર જે ઠેકાણે પડ્યું, તે પાકિસ્‍તાનસ્‍થિત શક્તિપીઠ શ્રી હિંગળાજમાતા !

શ્રી હિંગળાજમાતા મંદિર એક નૈસર્ગિક ગુફામાં છે. મંદિરમાં માટીની એક વેદી છે. આ મંદિરમાં દેવીની મૂર્તિ હોવાને બદલે સ્‍વયંભુ શિલા છે. આ શિલા સિંદૂરથી મઢાવેલી છે. તેને સંસ્‍કૃતમાં ‘હિંગુલા’ કહે છે.

શ્રીલંકાના જાફના શહેર નજીકના નૈનાતીવુ બેટ સ્થિત અને ૫૧ શક્તિપીઠોમાંનું એક નાગપુષાણી દેવીનું મંદિર !

આ મંદિરના નિર્માણ પાછળ પણ ઇતિહાસ છે. મહાભારતકાળથી નાગ અને ગરુડમાં વેર છે. પ્રાચીન કાળમાં નૈનાતીવુનાં દેવીને પાસેના ‘પુળીયંતીવુ’ દ્વીપ પર રહેનારો નાગ પ્રતિદિન એક ફૂલ મોઢામાં ધરીને અર્પણ કરતો હતો. એક દિવસ ગરુડ તે સ્‍થાન પર આવે છે.

હિમાચલ પ્રદેશ સ્‍થિત કુલુ જિલ્‍લામાં આવેલા ‘મણિકર્ણ તપ્‍તકુંડ’ સ્‍થાન

શિવ અને પાર્વતી આ ઠેકાણે આવ્‍યા હતા ત્‍યારે તેમણે થોડોક સમય અહીં રહેવાનું નક્કી કર્યું. પાર્વતી નદીના કાંઠે શિવજીએ ૧૧ સહસ્ર વર્ષો તપશ્‍ચર્યા કરી. એક દિવસ પાર્વતીમાતા આ નદીમાં જળક્રીડા કરી રહ્યાં હતાં ત્‍યારે તેમના કર્ણભૂષણમાંથી એક મણિ પાણીમાં પડ્યો.

વિશ્‍વનું બીજું સૌથી મોટું શક્તિપીઠ : રજરપ્‍પા (ઝારખંડ) ખાતેનાં શ્રી છિન્‍નમસ્‍તિકાદેવી

સહસ્રો વર્ષો પહેલાં રાક્ષસ અને દાનવોને કારણે માનવ અને દેવ ભયભીત થયા હતા. તે સમયે માનવોએ દેવીને આર્તતાથી પોકારી. પાર્વતી માતા શ્રી છિન્‍નમસ્‍તિકા દેવીનાં રૂપમાં પ્રગટ થયાં અને તેમણે ખડ્‌ગથી અસુરોનો સંહાર કર્યો. અન્‍ન-પાણી લેવાનું ભૂલી જઈને તે કેવળ દુષ્‍ટોનો સંહાર કરતાં રહ્યાં.

કુલુ ખીણમાં અધિષ્‍ઠાત્રી દેવતા ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલીમાતા’ (ભુવનેશ્‍વરીદેવી)નું છે ચૈતન્‍યમય સ્‍થાન !

દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં કુલુ નામનું નગર છે. આ નગરની ચારે દિશાઓમાં અનેક દૈવી સ્‍થાનો છે. કુલુ એટલે પૂર્વના કાળમાંનું ‘કુલાંતપીઠ’ ! જ્‍યાં માનવીનું કુળ સમાપ્‍ત થાય છે અને દેવકુળ અર્થાત્ દેવોનું નિવાસસ્‍થાન છે તે, અર્થાત્ ‘કુલાંતપીઠ’ ! આવા કુલુ પ્રદેશમાં કુલુની ખીણ છે.