પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્યપ્રદેશ) ખાતેનું વિશ્વવિખ્યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !
વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન હોય એવી માળવા ક્ષેત્રમાં જવલ્લેજ કોઈ વ્યક્તિ હશે. આ મંદિરમાં ૧૩૦ વર્ષોથી પ્રત્યેક વર્ષે બે વાર (કાર્તિક અને ચૈત્ર માસમાં) પારંપારિક પદ્ધતિથી જાત્રા ભરાય છે.
