શ્રદ્ધા અને સંત વચન પર રહેલા અટલ વિશ્‍વાસને કારણે પરમેશ્‍વરના દર્શન થવા

શ્રીકૃષ્‍ણ ભગવાન તેના ભણી મલકાઈને મંદ હાસ્‍ય વેરતા નિહાળતા હતા. કિરાત જાણે શિકાર મળ્‍યો હોય તેવી રીતે શ્રીકૃષ્‍ણને ખભા પર ઊંચકીને સંત પાસે લઈ આવ્‍યો. શ્રીકૃષ્‍ણ જાળમાં મંદ હાસ્‍ય વેરતા હોવાનું દ્રશ્‍ય જોઈને તે સંત ભાન ગુમાવી બેઠા.

નામજપના કેટલાક વિશિષ્‍ટતાપૂર્ણ લાભ

નામજપ કરતી વેળા નામસ્‍મરણ કરનારો નામ સાથે એકરૂપ થાય, નામ-નામી એક થાય અથવા નામસ્‍મરણ કરનારો, જેનું નામ લે છે તે ભગવાન અને નામ લેવાની ક્રિયા, આ ત્રણેય બાબતો એક થઈ જાય, એટલે કે ત્રિપુટી નષ્‍ટ થઈ જાય, ત્‍યાર પછી અદ્વૈતની સ્‍થિતિ પ્રાપ્‍ત થાય છે.

મનને આપેલી સકારાત્‍મક સૂચનાઓ ભાવ પ્રમાણે કાર્ય કરે છે !

નકારાત્‍મક પરિસ્‍થિતિમાં પણ સકારાત્‍મક વિચાર કરવો, સકારાત્‍મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્‍ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્‍યું છે.

‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એવું શા માટે કહેવામાં આવે છે ?

વિશ્‍વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા !

‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની !

‘ઈશ્‍વરે પ્રત્‍યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્‍પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?

સર્વશ્રેષ્‍ઠ નવવિધા ભક્તિ !

શ્રવણ, કીર્તન, સ્‍મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્‍ય, સખ્‍ય અને આત્‍મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે. નવવિધા ભક્તિ આપણને ઈશ્‍વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્‍મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્‍ચ સોપાન છે.

નામજપનું મહત્ત્વ

આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્‍છિત સ્‍ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્‍ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્‍યાગ કરવો નહીં.’

નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૨)

નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્‍યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્‍યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્‍ય જીવોનું ધ્‍યાન લાગવું સંભવ નથી.

નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૧)

‘નામસ્‍મરણ ભગવાનની સાચી વિભૂતિ છે. તેને કારણે ‘यज्ञानां जपयज्ञोऽस्‍मि ।’ એવું ભગવાને કહ્યું છે; તેથી નામજપ એ જ સૌથી સૂક્ષ્મ અને વ્‍યાપક છે અને તેને કાંઈ જ બંધન ન હોવાથી તે સૌથી સૂક્ષ્મ અને વ્‍યાપક છે. આકાશનો ગુણ શબ્‍દ. આકાશ જેટલું મન સૂક્ષ્મ અને વ્‍યાપક થયા વિના નામ ગ્રહણ કરી શકે નહીં.

પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહેલું નામજપનું શ્રેષ્‍ઠત્‍વ

ધ્‍યાનયોગમાં ‘હું ધ્‍યાન કરવા બેસું છું’, ‘હું ધ્‍યાન ધરી રહ્યો છું’, ‘હું સમાધિમાંથી જાગૃત અવસ્‍થામાં આવ્‍યો’, આ રીતે સૂક્ષ્મ વિચારોને કારણે અહં રહે છે, જ્‍યારે નામજપમાં ‘સદ્‌ગુરુ આપણી પાસેથી નામજપ કરાવી રહ્યા છે’, આ ભાવને કારણે સાધનાનો અહં નિર્માણ થતો નથી, ઊલટું અહં નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.