અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય
અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય – ગુરુકૃપાયોગ અનુસાર, ભક્તિયોગ અનુસાર, જ્ઞાનયોગ અનુસાર, કર્મયોગ અનુસાર, માનસશાસ્ત્ર અનુસાર
અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય – ગુરુકૃપાયોગ અનુસાર, ભક્તિયોગ અનુસાર, જ્ઞાનયોગ અનુસાર, કર્મયોગ અનુસાર, માનસશાસ્ત્ર અનુસાર
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
સુખની ઇચ્છા જ્યારે સમાપ્ત થશે, તે જ સાચું સુખ છે. એ અવસ્થા પ્રાપ્ત થઈ જાય, તો દુઃખી થવાનો પ્રશ્ન જ ઊભો થશે નહીં. સંતોની આ જ અવસ્થા હોય છે. સુખ-દુઃખના અજ્ઞાનમાંથી મુક્ત થવા હેતુ જ ધર્મ છે.
વર્તમાનમાં શ્રીકૃષ્ણ ભગવાનનું તત્ત્વ સૌથી વધુ પ્રમાણમાં કાર્યરત છે. તે માટે સમષ્ટિ સાધના કરીને જો ૨ વર્ષોથી વધુ સમયગાળો વીતી ગયો હોય, તો એવા સાધકોએ ૨ વર્ષો સુધી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપ અવશ્ય કરવો.
‘મારી નિષ્કામ ભક્તિ કરનારા ભક્તની હું સર્વ પ્રકારે કાળજી લઉં છું’, આ આશયનું વચન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ભગવદ્ ગીતામાં આપ્યું છે. એનીજ પ્રતીતિ નિષ્કામ ભક્તિ કરનારો ભક્ત લેતો હોય છે.
એકવાર નારાદમુનિ ફરતા ફરતા આંબલીના વૃક્ષની નીચે આવે છે. ત્યાં એકજણ ઈશ્વરપ્રાપ્તિ માટે ધ્યાન કરતો હતો. તેઓ તેને પૂછે છે, અરે તુ શું કરે છે ? ત્યારે તે કહે છે, હું ઈશ્વરપ્રાપ્તિ માટે ધ્યાન કરું છું. ત્યારે નારાદમુનિ તેને કહે છે, આ આંબલીના વૃક્ષને જેટલા પાન છે એટલા વર્ષ તને ઈશ્વરપ્રાપ્તિ માટે લાગશે.
ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’
ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્યું છે.
બાળકની જેમ ‘નિરાગસભાવ’ અથવા ’ભોળોભાવ’ એ ભક્તિયોગનો સ્થાયીભાવ છે. આ ભાવાવસ્થામાં ભક્ત બુદ્ધિથી વિચાર કરવાને બદલે કેવળ ભાવના સ્તર પર વિચાર કરતો હોય છે.
સંસારમાં કોઈ નિશ્ચિતતા નથી. ડગલે ને પગલે સંકટો આવે છે. એના વિરુદ્ધ પરમાર્થમાં આનંદ મળવાની નિશ્ચિતિ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજ કહે છે, તારો સંપૂર્ણ પરમાર્થ જો દેહ માટે હોય, દેહ સુખમાં રહેવો જોઈએ, દેહને રોગ ન થવો જોઈએ આદિ માટે હશે, તો તે પોતાની કામધેનુ આપીને ગધેડું ખરીદવા જેવું છે.