નામજપનું મહત્ત્વ

આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્‍છિત સ્‍ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્‍ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્‍યાગ કરવો નહીં.’

નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૨)

નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્‍યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્‍યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્‍ય જીવોનું ધ્‍યાન લાગવું સંભવ નથી.

નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૧)

‘નામસ્‍મરણ ભગવાનની સાચી વિભૂતિ છે. તેને કારણે ‘यज्ञानां जपयज्ञोऽस्‍मि ।’ એવું ભગવાને કહ્યું છે; તેથી નામજપ એ જ સૌથી સૂક્ષ્મ અને વ્‍યાપક છે અને તેને કાંઈ જ બંધન ન હોવાથી તે સૌથી સૂક્ષ્મ અને વ્‍યાપક છે. આકાશનો ગુણ શબ્‍દ. આકાશ જેટલું મન સૂક્ષ્મ અને વ્‍યાપક થયા વિના નામ ગ્રહણ કરી શકે નહીં.

પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહેલું નામજપનું શ્રેષ્‍ઠત્‍વ

ધ્‍યાનયોગમાં ‘હું ધ્‍યાન કરવા બેસું છું’, ‘હું ધ્‍યાન ધરી રહ્યો છું’, ‘હું સમાધિમાંથી જાગૃત અવસ્‍થામાં આવ્‍યો’, આ રીતે સૂક્ષ્મ વિચારોને કારણે અહં રહે છે, જ્‍યારે નામજપમાં ‘સદ્‌ગુરુ આપણી પાસેથી નામજપ કરાવી રહ્યા છે’, આ ભાવને કારણે સાધનાનો અહં નિર્માણ થતો નથી, ઊલટું અહં નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

શ્‍વાસ સાથે નામજપ જોડી શકાય, તે માટે પૂ. ભગવંતકુમાર મેનરાયે કરેલું માર્ગદર્શન

ભગવાનના નામજપ સાથે તેમના ગુણ પણ કાર્યરત હોવાથી અખંડ નામજપ કરવાથી શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ સાધકોને થઈ શકે છે.

દાન અને અર્પણનું મહત્વ અને તેમાંનો ફેર

અર્પણ કરવું  એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્‍યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્‍યાગ કરવો.

અવયવ-દાન વિશેનો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ

વ્‍યક્તિ મૃત્‍યુ પામ્‍યા પછી તેના લિંગદેહને પોતાના દેહની અને ગમનારી વસ્‍તુઓની આસક્તિ વહેલી છૂટતી નથી અને તે વર્ષ દરમ્‍યાન તે ઠેકાણે અટવાઈ જઈ શકે છે.

ગુરુકૃપાયોગ

ઈશ્‍વરપ્રાપ્‍તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.

ગુરુકૃપાયોગ અનુસાર સાધના

ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્‍તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્‍યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.

કુળદેવીની ઉપાસના

કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.