ઇચ્છિત કાર્ય શુભ મુહૂર્ત પર કરવાનું મહત્ત્વ
જો સંતોએ એકાદ કાર્ય માટે વિશિષ્ટ સમય કહ્યો હોય, તો જુદો મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી હોતી. સંત ઈશ્વરસ્વરૂપ હોય છે. ઈશ્વર સ્થળ અને કાળની પેલે પાર હોય છે.
જો સંતોએ એકાદ કાર્ય માટે વિશિષ્ટ સમય કહ્યો હોય, તો જુદો મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી હોતી. સંત ઈશ્વરસ્વરૂપ હોય છે. ઈશ્વર સ્થળ અને કાળની પેલે પાર હોય છે.
હિંદુ ધર્મમાં કહેવા અનુસાર જન્મદિવસ જન્મતિથિ પર ઊજવતી સમયે આરતી ઉતારવી, સ્તોત્રપાઠ, વડીલોના આશીર્વાદ લેવા ઇત્યાદિ કૃતિઓને કારણે વ્યક્તિના સૂક્ષ્મ દેહની (મનની) સાત્ત્વિકતા વધે છે, આનાથી ઊલટું જન્મદિવસ જન્મ દિનાંકે ઊજવવાથી કેવળ સ્થૂળદેહને થોડો ઘણો લાભ થાય છે.
વર્તમાનમાં કૃત્રિમ (Synthetic) રત્નો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. નૈસર્ગિક રત્નો અને કૃત્રિમ રત્નો દેખાવમાં એકસરખા જ હોય છે; પરંતુ કૃત્રિમ રત્નો તુલનામાં કટકણાં (બરડ) હોય છે, તેથી તેમને પાસા ઓછા હોય છે. કૃત્રિમ રત્નોનું મૂલ્ય ઓછું હોય છે; પરંતુ નૈસર્ગિક રત્નોમાં રહેલી દૈવી ઊર્જા કૃત્રિમ રત્નોમાં નથી હોતી.
હિંદુ મહિલાઓ સાથે જ સમાજમાંના સર્વ પંથોમાંની મહિલાઓ માટે જો અમારે સમાન ન્યાય આપવો હોય, તો દેશમાં વહેલામાં વહેલી તકે સમાન નાગરી કાયદો કરવો જોઈએ. તેમાં સમાજ, રાષ્ટ્ર અને પ્રત્યેક ધર્મનું હિત છે.
‘કૃતજ્ઞતા’ આ શબ્દ અર્થાત્ કોઈકે મારા પર કાંઈક ઉપકાર કર્યા પછી ઉત્સ્ફૂર્ત રીતે વ્યક્ત કરવાની ભાવના છે. પ્રત્યક્ષમાં ઈશ્વર જ બધા માટે બધું જ કરતા હોય છે. મારા ઈશ્વર અને સર્વેસર્વા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી એ જ છે. પ્રત્યેક પ્રસંગમાં મેં તેમના પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવાથી મારા મન અને બુદ્ધિનો લય થઈને મને આત્માનંદ મળે છે.
શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્યાપક સંકલ્પના છે અને શિષ્ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્વી પર જન્મ લે છે
‘સહુકોઈને બધું જ સરખું જોઈએ’, એમ કહીને નિર્માણ કરેલા સામ્યવાદના નામ હેઠળ બરાડા પાડનારા પોતે ગબ્બર બની બેઠા છે, જ્યારે ગરીબ તો ગરીબ જ રહ્યા છે. સામ્યવાદીઓ જ તેમનું શોષણ કરે છે. આનાથી ઊલટું સંત પોતાની નાની-નાની કૃતિઓ દ્વારા સમષ્ટિનો વિચાર કરવાનું શીખવે છે. આ જ ખરો સામ્યવાદ છે.
‘ધર્મ બે લક્ષણાત્મક છે – પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ એ રાષ્ટ્રનો હોઈ શકે. અર્થાત તેમાં સમષ્ટિગતતા અને વ્યષ્ટિગતતાનો વિચાર આવે જ છે. આ વિચારને જ સાપેક્ષતા કહી શકીએ. નિવૃત્તિ ધર્મ એ કેવળ વ્યષ્ટિગત જ હોઈ શકે.
ક્ષમા, સત્ય, મનનું સંયમન કરવું, શૌચ, દાન, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, ગુરુની સેવા કરવી, તીર્થયાત્રા, દયા, ઋજુતા (પ્રામાણિકતા), નિર્લોભી વલણ હોવું, દેવ અને બ્રાહ્મણનો સત્કાર કરવો અને કોઈની પણ નિંદા ન કરવી, આને સામાન્યધર્મ કહે છે.
હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.