ગુરુ, સદ્ગુરુ અને પરાત્પર ગુરુ
જેનો જન્મ સત્કુળમાં થયો છે, જે સદાચારી છે, શુદ્ધ ભાવના ધરાવે છે, ઇંદ્રિય-નિગ્રહ છે, જે સર્વ શાસ્ત્રોનું સાર જાણે છે, પરોપકારી છે, ભગવાન સાથે હંમેશાં અનુસંધાનમાં રહે છે, જેની વાણી ચૈતન્યમય છે, જેનામાં તેજ અને આકર્ષણશક્તિ છે, જે શાંત હોય છે; વેદ, વેદાર્થનો પારદર્શી છે; યોગમાર્ગમાં જેની પ્રગતિ છે; જેનું હૃદય ઈશ્વર જેવું છે (તેનું કાર્ય ઈશ્વરેચ્છાથી થાય છે), એવા પ્રકારના ગુણ જેનામાં છે, તે જ શાસ્ત્રસંમત ગુરુ થવા માટે યોગ્ય છે.