દેશની યુવાપેઢીને નિ:સત્ત્વ બનાવનારી વર્તમાન શિક્ષણપદ્ધતિ !

ભાવિ હિંદુ રાષ્ટ્રમાં (સનાતન ધર્મ રાજ્યમાં) યુવાપેઢી નિ:સત્ત્વ કરનારી નહીં, જ્યારે સાત્ત્વિક અને રાષ્ટ્ર-ધર્મપ્રેમી બનાવનારી શિક્ષણપદ્ધતિ હશે !’

ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.

સંત, શિષ્ય અને સાધકનો ગુરુદેવ પ્રત્યે ભાવ !

શિષ્યની સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનામાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે. તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે.

ગુરુ મહાન કે દેવ ?

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસે તે કરાવી લે છે અને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !

પ્રાચીન ભારતીય વિદ્યાપીઠોનો ઉજ્જ્વળ ઇતિહાસ

ભારતમાં પ્રાચીન કાળથી પુષ્કળ મોટાં વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતા. તેમાંના કેટલાંક વિદ્યાપીઠો, તો બારમા સૈકાના અંત સુધી ટકી રહ્યા હતા. તેમાંથી સહસ્રો વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ લઈને બહાર પડતા હતા. વર્તમાનમાં  ઑક્સફર્ડ,  કેંબ્રિજ  ઇત્યાદિ પશ્ચિમી વિદ્યાપીઠોના નામો આપણે સાંભળીએ છીએ અને ત્યાંના શિક્ષણનો ઉચ્ચ સ્તર, તેમનું શિસ્તબદ્ધ અનુશાસન અને તેમની પ્રદીર્ઘ પરંપરા વિશેનું જ્ઞાન વાંચીને આપણને નવાઈ લાગે છે; પણ આપણા દેશમાં પણ એક સમયે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, નાગાર્જુન, કાશી, પ્રતિષ્ઠાન, ઉજ્જયિની, વલ્લી, કાંચી, મદુરા, અયોધ્યા આ સર્વ વિદ્યાપીઠો પ્રસિદ્ધ હતા.