નામજપ કયો કરવો ?

Article also available in :

જીવનમાં આવનારા દુઃખોનો ધીરજથી સામનો કરવાની શક્તિ અને સર્વોચ્ચ સ્તરનો નિરંતર જળવાઈ રહેતો આનંદ કેવળ સાધનાથી જ પ્રાપ્ત થાય છે. સાધના અર્થાત્ ઈશ્‍વરપ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રયત્નો. ગુરુકૃપા વિના સાધના દ્વારા ઈશ્‍વરપ્રાપ્તિ સાધ્ય કરવી અત્યંત અઘરુ  છે. ગુરુકૃપાના માધ્યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્તિની દિશામાં માર્ગક્રમણ થવાને જ ‘ગુરુકૃપાયોગ’ કહે છે. ગુરુપ્રાપ્તિ માટે અને ગુરુકૃપાનો વર્ષાવ નિરંતર થવા માટે આવશ્યક સાધના જ  ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ છે.

 

૧. આધ્યાત્મિક ઉન્નતિ માટે કુળદેવતાનો નામજપ

પૂજા, આરતી, ભજન, પોથીપાઠ ઇત્યાદિ ઉપાસનાના પ્રકારોને કારણે દેવતાની કૃપા થઈને દેવતાના તત્ત્વનો લાભ થાય છે; પણ આ ઉપાસનાની પોતાની મર્યાદા હોય છે. તેથી આપણને લાભ પણ મર્યાદિત જ મળે છે. દેવતાના તત્ત્વનો લાભ નિરંતર પ્રાપ્ત કરવા માટે દેવતાની ઉપાસના પણ નિરંતર કરવી જોઈએ. દેવતાની ઉપાસના નિરંતર કરતા રહેવાની એક ઉપાસના પદ્ધતિ છે – નામજપ. કળિયુગ માટે નામજપ જ સરળ અને સર્વોત્તમ ઉપાસના છે. નામજપ એ ગુરુકૃપાયોગ અનુસાર સાધનાનો પાયો છે.

૧. કુળદેવતાના નામજપનું મહત્ત્વ

ગુરુપ્રાપ્તિ થયા પછી અને ‘ગુરુમંત્ર’ પ્રાપ્ત થયો હોય, તો તેનો જ જાપ કરવો નહીંતર પછી ઈશ્‍વરના અનેક નામોમાંથી કુળદેવતાના નામનો જપ મુખ્યપણે નીચે આપેલા ૨ કારણોને લીધે પ્રતિદિન ૧ થી ૨ કલાક તેમજ વધારેમાં વધારે કરવો.

અ. જે કુળના દેવતા, અર્થાત્ કુળદેવી કે કુળદેવ, આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત ઉપયુક્ત હોય છે, તે કુળમાં ઈશ્‍વર આપણને જન્મ આપે છે.

આ. અંતિમ શ્‍વાસ સુધી પ્રત્યેક વ્યક્તિને પોતાના પ્રારબ્ધની તીવ્રતા અનુસાર ભોગ ભોગવવા પડે છે. કુળદેવતાનો નામજપ કરવાથી આ તીવ્રતા ઓછી થાય છે.

કુળદેવ અને કુળદેવી એમ બન્‍ને હોય, તો કયો નામજપ કરવો ?

* બાળપણમાં આપણે પિતાને બદલે માતા પાસે જ વધારે હઠ કરતા; કારણકે માતા આપણી હઠ તુરંત પૂરી કરે છે. તેવી જ રીતે કુળદેવ કરતાં                  કુળદેવી વહેલાં પ્રસન્ન થાય છે.

* કુળદેવ કરતાં કુળદેવી પૃથ્વીતત્ત્વ સાથે વધારે સંબંધિત હોય છે. તેમના નામથી સાધનાનો આરંભ કરીએ તો કોઈપણ ત્રાસ થતો નથી.

 * જેમના કેવળ કુળદેવતા છે, તેઓ તેમનો જ જપ કરે; ઉદા. શ્રી વ્યંકટેશ કુળદેવતા હોય તો શ્રી વ્યંકટેશાય નમ: જપ કરવો.

 *  પરાત્પર ગુરુએ આપેલો નામજપ આધ્યાત્મિક ઉન્નતિ માટે ૧૦૦ ટકા, કુળદેવીનો ૩૦ ટકા, જ્યારે કુળદેવનો ૨૫ ટકા પૂરક હોય છે.

૨. કુળદેવતાનો નામજપ કરવાની પદ્ધતિ

કુળદેવતાના નામ આગળ ‘શ્રી’ લગાડવું, સંસ્કૃત વ્યાકરણ અનુસાર નામને ચતુર્થીનો પ્રત્યય લગાડવો અને અંતે નમ: બોલવું, ઉદા. કુળદેવતા જો ગણેશ હોય, તો  ‘શ્રી ગણેશાય નમ:’,  કુળદેવતા જો ભવાની હોય, તો  ‘શ્રી ભવાન્યૈ નમ:’ બોલવાનું અઘરું હોવાથી ‘દેવ્યૈ’ પ્રત્યય લગાડીને ‘શ્રી ભવાનીદેવ્યૈ નમ:’ એમ બોલવું. કુળદેવતાનો આવશ્યક એટલો નામજપ પૂર્ણ થાય પછી, ગુરુ પોતે સાધકના જીવનમાં આવીને ગુરુમંત્ર આપે છે. ચતુર્થીના પ્રત્યયનો અર્થ છે ‘ને’. એનો આશય છે, જે દેવતાનો આપણે નામજપ કરીએ છીએ, એ ‘દેવતાને નમસ્કાર’

સનાતન-નિર્મિત નામજપ-પટ્ટી

૩. જો કુળદેવતા જ્ઞાત ન હોય, તો કયો નામજપ કરવો ?

જો કુળદેવતા જ્ઞાત ન હોય, તો મનગમતા દેવતાનો જપ કરવો અથવા ‘શ્રી કુલદેવતાયૈ નમ:’ એવી રીતે નામજપ કરવો. તે પૂર્ણ થયા પછી કુળદેવતાનું નામ કહેનારી વ્યક્તિ મળે છે. કુળદેવતાનો આવશ્યક એટલો નામજપ પૂર્ણ થાય પછી, ગુરુ પોતે સાધકના જીવનમાં આવીને ગુરુમંત્ર આપે છે.

 

૨. પિતૃદોષ નિવારણ માટે દતાત્રેય દેવતાનું નામજપ

૧. શ્રી દતાત્રેય દેવતાનો નામજપ

કુળદેવતાના નામજપ સહિત જ દત્તાત્રેય દેવતાનો નામજપ કરવો પણ આવશ્યક છે.

વર્તમાનમાં પહેલાંની જેમ લોકો શ્રાદ્ધપક્ષ ઇત્યાદિ કરતા નથી તેમજ સાધના પણ કરતા નથી. તેથી મોટાભાગે બધાને જ અતૃપ્ત પૂર્વજો (પિતૃદોષ)ને કારણે ત્રાસ થઈ શકે છે. આગળ જઈને પિતૃદોષની સંભાવના છે કે વર્તમાનમાં થઈ રહેલો ત્રાસ પિતૃદોષને કારણે છે, આ કેવળ ઉન્‍નત પુરુષ જ કહી શકે છે.  એવા કોઈ ઉન્‍નત પુરુષ મળવા સંભવ ન હોય, તો અહીં અતૃપ્ત પિતૃઓના કેટલાક લક્ષણ આપ્યા છે – વિવાહ ન થવા, પતિ-પત્નીમાં અણબનાવ, ગર્ભધારણા ન થવી, ગર્ભધારણા થવી પણ ગર્ભપાત થઈ જવો, સંતાનનો જન્મ સમય પહેલાં થવો, મંદબુદ્ધિ અથવા વિકલાંગ સંતાન જન્મ પામવા, સંતાનનું નાનપણમાં જ મૃત્યુ થવું ઇત્યાદિ. વ્યસન, દરિદ્રતા, શારીરિક રોગ, આવા લક્ષણ પણ દેખાઈ પડે છે. આવા સમયે નીચે આપ્યા પ્રમાણે સાધના કરો.

સનાતન-નિર્મિત  નામજપ-પટ્ટી

શ્રી ગુરુદેવ દત્તનો નામજપ (Audio)

‘શ્રી ગુરુદેવ દત્ત’નો નામજપ સાંભળવા માટે અવશ્ય પધારો !

ભગવાન દત્તાત્રેયનો નામજપ

https://www.sanatan.org/hindi/a/149.html

૧ અ. પિતૃદોષ સામે સુરક્ષા માટે ત્રાસની તીવ્રતા પ્રમાણે યોગ્ય ઉપાસના

૧. કોઈપણ પ્રકારનો ત્રાસ ન થતો હોય તો પણ આગળ જતાં ત્રાસ થાય નહીં તે માટે, તેમજ થોડો ત્રાસ થતો હોય તો ઓછામાં ઓછા ૧ થી ૨ કલાક  ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ પ્રતિદિન કરવો. બાકીનો સમય પ્રારબ્ધને કારણે ત્રાસ થાય નહીં, તેમજ આધ્યાત્મિક ઉન્‍નતિ થાય તે માટે સર્વસામાન્ય માનવીએ અથવા પ્રાથમિક અવસ્થામાંના સાધકે પોતાનાં કુળદેવતાનો નામજપ વધારેમાં વધારે કરવો.

૨. મધ્યમ પ્રકારનો ત્રાસ હોય તો કુળદેવતાના જપ સાથે જ ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ જપ પ્રતિદિન ઓછામાં ઓછો ૨ થી ૪ કલાક તોયે કરવો. તેમજ ગુરુવારે દત્તના મંદિરમાં જઈને સાત પ્રદક્ષિણા ફરવી અને બેસીને એક-બે માળા જપ એક વર્ષ તોયે કરવો. ત્યાર પછી ત્રણ માળા જપ ચાલુ રાખવો.

૩. તીવ્ર ત્રાસ ધરાવનારાઓએ કુળદેવતાના જપ સાથે જ પ્રતિદિન ૪ થી ૬ કલાક જપ કરવો. એકાદ જ્યોતિર્લિંગના પવિત્ર સ્થાન પર જઈને નારાયણબલિ, નાગબલિ, ત્રિપિંડી શ્રાદ્ધ, કાલસર્પશાંતિ જેવા વિધિ કરવા. તેની સાથે જ એકાદ દત્તક્ષેત્ર પર રહીને સાધના કરવી અથવા સંતસેવા કરીને તેમના આશીર્વાદ મેળવવા.

૪. પિતૃપક્ષમાં દત્તનો નામજપ કરવાથી પિતરોને વહેલા ગતિ મળે છે; તેથી તે કાળમાં પ્રતિદિન દત્તનો ન્યૂનતમ ૬ કલાક (૭૨ માળા) નામજપ કરવો.

પરિવારના સદસ્ય પ્રતિદિન દત્તાત્રેય ભગવાનનો નામજપ ઉપર આપ્યા પ્રમાણે પોતપોતાના ત્રાસની તીવ્રતા અનુસાર ઓછામાં ઓછો તો કરે અથવા વધારેમાં વધારે હંમેશા કરે.

૨. દત્તનો નામજપ કરવાથી પિતૃદોષ સામે રક્ષણ કેવી રીતે થાય છે ?

૨ અ. સંરક્ષણ-કવચ નિર્માણ થવું : દત્તના નામજપમાંથી નિર્માણ થનારી શક્તિથી નામજપ કરનારા વ્યકિતની ફરતે સંરક્ષણ-કવચ નિર્માણ થાય છે.

૨ આ. અતૃપ્ત પૂર્વજોને ગતિ મળવી : મોટાભાગના લોકો સાધના ન કરતા હોવાથી માયામાં અટવાઈ ગયા હોય છે. માયામાં અટવાયેલા હોવાથી મૃત્યુ પછી આવા લોકોના લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત  લિંગદેહ મર્ત્યલોકમાં (મૃત્યુલોકમાં) અટવાઈ રહે છે. દત્તના નામજપથી મૃત્યુલોકમાં અટવાયેલા પૂર્વજોને ગતિ મળે છે. (ભૂલોક અને ભુવર્લોકની વચ્ચે મૃત્યુલોક છે.) તેથી આગળ જતાં તેઓ તેમના કર્મો અનુસાર આગળના લોકમાં જવાથી સહેજે તેમના દ્વારા વ્યક્તિને થનારા ત્રાસનું પ્રમાણ ઓછું થાય છે.

૨ ઇ. જ્યારે કોઈ વ્યક્તિ ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, ત્યારે તેના કયા અતૃપ્ત પિતરોને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે ?

કોઈ વ્યક્તિ જ્યારે  ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે. ‘જો એમ હોય, તો મોટાભાગના પૂર્વજ નામજપ કરનારા ઉત્તરાધિકારીને જ લક્ષ્ય શા માટે બનાવે છે’,  આ પશ્ન કોઈના પણ મનમાં આવી શકે છે. એનું કારણ એમ છે કે – ‘મારી આધ્યાત્મિક પ્રગતિ થાય’ આ ઇચ્છા રાખનારા પિતર સાધના કરનારા વશંજની સહાયતા લે છે, જ્યારે જે પિતરોની ઇચ્છા ભૌતિક વિષયો (ખાવું-પીવું) વિશે હોય છે, એવા પિતર તેવા પ્રકારની વાસનાવાળા પોતાના વંશજની સહાયતા લે છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ અને ‘દત્ત’

 

૩. નામજપનું મહત્ત્વ કહેનારી કથા

નામજપ કરવાથી અસંભવ લાગનારાં કાર્ય પણ કેવી રીતે સંભવ થાય છે, આ આપણા ધ્યાનમાં આવશે. આપણને બધાને જાણ છે કે ભક્ત પ્રલ્હાદ ભગવાન શ્રીવિષ્ણુનો અખંડ નામજપ કરતા હતા. પરંતુ તેમના પિતા અસુરરાજ હિરણ્યકશ્યપ ભગવાનને માનતા નહોતા. એમને નામજપથી ક્રોધ આવતો અને તેઓ પ્રલ્હાદને ત્રાસ આપતા. તે છતાં ભક્ત પ્રલ્હાદે નામજપ કરવો અને વિષ્ણુની ભક્તિ છોડી નહીં અને ત્યાર પછી સાક્ષાત વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો. જો એક ભક્ત માટે ઈશ્‍વર અવતાર લઈ શકે છે તો આપણે બધા જો ઈશ્‍વરની ભક્તિ કરીએ અને નામજપ કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ આપણું અવશ્ય રક્ષણ કરશે. તેથી ભગવાનનો નામજપ આપણે પ્રતિદિન કરવો જોઈએ.

 પોતાની આધ્યાત્મિક યાત્રા (સાધના)નો આજથી જ આરંભ કરો.

Leave a Comment