પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહેલું નામજપનું શ્રેષ્ઠત્વ
ધ્યાનયોગમાં ‘હું ધ્યાન કરવા બેસું છું’, ‘હું ધ્યાન ધરી રહ્યો છું’, ‘હું સમાધિમાંથી જાગૃત અવસ્થામાં આવ્યો’, આ રીતે સૂક્ષ્મ વિચારોને કારણે અહં રહે છે, જ્યારે નામજપમાં ‘સદ્ગુરુ આપણી પાસેથી નામજપ કરાવી રહ્યા છે’, આ ભાવને કારણે સાધનાનો અહં નિર્માણ થતો નથી, ઊલટું અહં નષ્ટ થવામાં સહાયતા થાય છે.
