પ્રજા સત્ત્વપ્રધાન હોય, તો જ લોકતંત્ર સફળ બને છે

વર્તમાનમાં ધર્મશિક્ષણના અભાવે પ્રજા રજ-તમ પ્રધાન થઈ ગઈ છે. એવામાં રજ-તમ પ્રધાન વ્યક્તિ જ એમના આદર્શ બને છે. પ્રજા એમને જ ચૂંટે છે, તેને કારણે ભ્રષ્ટ, ગુંડા, રાષ્ટ્રદ્રોહી અને ધર્મદ્રોહી વ્યક્તિ રાજ્યકર્તા બને છે. પરિણામે, સમાજ, રાષ્ટ્ર અને ધર્મની અસીમ હાનિ થઈ છે. એના ઉપર એક જ ઉપાય છે, ધર્મશિક્ષણ આપીને હિંદુઓને સાધનારત કરવા અને સત્ત્વપ્રધાન બનાવવા.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી