સનાતન ધર્મનો પ્રસાર સમસ્ત વિશ્વમાં આગવી રીતે થાય !

ડૉ. જયંત આઠવલે દ્વારા સ્થાપિત રામનાથી સ્થિત સનાતન આશ્રમ એ મારા હિસાબે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ આશ્રમ કહી શકાય. જોકે હું એ આશ્રમમાં ગયો નથી છતાં પણ એ આશ્રમ વિશે જાણેઅજાણ્યે મને માહિતી મળતી રહે છે તે હિસાબે હું ખાત્રીપૂર્વક કહી શકુ છું આ આશ્રમ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પોતાની આગવી પદ્ધતિથી કરે છે એ મારી જાણમાં છે.

સનાતન પ્રભાત નિયતકાલિક દ્વારા જે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે એના માટે દરેક ભારતવાસીઓ ખાસ કરીને સનાતન ધર્મ પ્રેમીઓ ગૌરવ લેવા જેવું છે. એની પોતાની પદ્ધતિથી અને આગવી રીતે એનો પ્રચાર અને પ્રસાર સમસ્ત વિશ્વમાં થાય અને દરેકને સનાતન ધર્મ વિશે જાણકારી પ્રાપ્ત થાય એ જ શુભેચ્છા છે.
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.