હાથની આંગરીઓમાં વીંટી પહેરવાનું મહત્ત્વ

પુરુષત્‍વરૂપી ક્રિયાધારકતા સ્‍વયં-ક્રિયાનું પ્રતીક હોવાથી પુરુષ જમણી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી જમણા હાથની અનામિકામાં વીંટી પહેરે છે, જ્‍યારે સ્‍ત્રીઓ કર્મપ્રધાન સ્‍વરૂપનું પ્રતીક હોવાથી ડાબી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરે છે.

અલંકારોનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ અને મહત્ત્વ

તહેવાર, યજ્ઞ, જનોઈ, વિવાહ, વાસ્‍તુશાંતિ જેવી ધાર્મિક વિધિના સમયે દેવતા અને આસુરી શક્તિ વચ્‍ચે સૂક્ષ્મ-યુદ્ધ ક્રમવાર બ્રહ્માંડ, વાયુમંડળ અને વાસ્‍તુમાં ચાલતું હોય છે. તેથી તહેવાર ઊજવનારી અને ધાર્મિક વિધિને સ્‍થાને ઉપસ્‍થિત રહેનારી વ્‍યક્તિ પર આ સૂક્ષ્મ-યુદ્ધનું પરિણામ થઈને તેમને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થઈ શકે.

કપડાં સીવવાની પદ્ધતિ

હવે કળિયુગમાં સર્વ બાબતો યાંત્રિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ રાખીને ચાલુ હોવાથી માનવીને મહાભયંકર એવી અનિષ્‍ટ શક્તિઓના રજ-તમાત્‍મક પ્રકોપને બલિ ચડવું પડે છે. આ સર્વ સુધારીને પાછા પૂર્વવત્ સાત્ત્વિક આચાર સમાજમાં અંકિત કરવા, ઘણું અઘરું કામ છે; તેથી કળિયુગમાં આ બધામાંથી તરી જવા માટે નામસાધના વિશદ કરી છે.

સાત્ત્વિક કપડાંનું મહત્ત્વ

‘કેટલાક સંપ્રદાયોમાં વિશિષ્‍ટ પહેરવેશ (ઉદા. ભગવાં વસ્‍ત્રો, ગળામાં માળા, જટા) શા માટે કહે છે ?’, એવો પ્રશ્‍ન કેટલાક લોકોને ઉપસ્‍થિત થઈ શકે છે. તેનો ઉત્તર એમ કે, ‘સંપ્રદાયમાંની વ્‍યક્તિ ‘સાધક’ પંથની છે’ તેનું તેને નિરંતર ભાન રહે, એટલો જ તે પહેરવેશનો હેતુ હોય છે.

પ્રકૃતિ અનુસાર કપડાંનો રંગ

એકસરખા આધ્‍યાત્‍મિક રંગના વસ્‍ત્રો વધારે પ્રમાણમાં પારદર્શકતાના દર્શક હોવાથી તે આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ વધુ સત્ત્વગુણી માનવામાં આવ્‍યા છે.

નવું વસ્ત્ર પહેલી વાર પરિધાન કરવું

‘કપડાં ધોવાથી તેમાંની રજ-તમ લહેરો અને કાળી શક્તિ ઓછી થાય છે. ધોયેલા કપડાંને વિભૂતિ લગાડવાથી અથવા કપડાંમાં ઉદબત્તીના ટુકડા રાખવાથી તેમનામાંનું ચૈતન્‍ય અને સુગંધનું પરિણામ કપડાં પર થઈને કપડાંમાંની કાળી શક્તિ અને રજ-તમ નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

કપડાં પરની વેલ-બુટ્ટી (કોતરણી)

સર્વસામાન્‍ય માનવીની પ્રકૃતિ તારક હોવાથી તેને મારક તત્ત્વનો ત્રાસ થવાની શક્યતા હોય છે. કપડાં પરની આડી રેખાઓમાંથી મારક તત્ત્વ પ્રક્ષેપિત થતું હોવાથી તેના દ્વારા ત્રાસ થવાની સંભાવના હોવાથી આડી રેખા ધરાવતાં કપડાં પહેરવા નહીં.

જમવાની કેટલીક વાનગીઓ , તેનું મહત્ત્વ અને જમવાના કેટલાંક નિયમો

પથારી ભૂમિ સાથે સંલગ્ન હોવાથી પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોને કારણે પથારી ભારિત થાય છે. એકાદ જીવ જ્યારે તેના પર બેસે છે, ત્યારે તેના મનમાં ચાલી રહેલા અસંખ્ય વિચારોના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારા રજ-તમયુક્ત લહેરોનું આવરણ તેના દેહ ફરતે બને છે.

કચરો ક્યારે અને કેવી રીતે વાળવો ?

પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્‍વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્‍ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.

અલંકારોમાં રહેલા વિવિધ રત્નોનું શરીર પર થનારું પરિણામ

‘અલંકારમાં રહેલી ધાતુ અથવા રત્નો એ પંચતત્ત્વોની સહાયતાથી તેની અલંકારિક પદ્ધતિ પ્રમાણે ઘડાવેલી આકારરચનાના પ્રમાણમાં દેવત્‍વદર્શક લહેરો જીવના ભાવ પ્રમાણે ગ્રહણ કરીને તે આવશ્‍યકતા પ્રમાણે પ્રક્ષેપિત કરે છે.