કુટજ ઘનવટી (ગોળીઓ)

Article also available in :

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

કુટજ ઘનવટી આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે.

 

૧. ગુણધર્મ અને સંભાવ્‍ય ઉપયોગ

આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે. તેના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.

ઉપયોગ ઔષધ લેવાની પદ્ધતિ સમયગાળો
અ. અતિસાર (ઝાડા), વારંવાર શૌચ થવું અને શૌચ પ્રવાહી થવું દિવસમાં ૩-૪ વાર ૨ થી ૪ ગોળીઓ વાટકો ભરીને નવશેકા પાણી સાથે લેવી. ૧ – ૨ દિવસ
આ. હરસમાંથી લોહી પડવું અને રક્તપ્રદર (યોનિમાર્ગમાંથી વધુ રક્તસ્રાવ થવો) દિવસમાં ૨ – ૩ વાર ૧ – ૨ ગોળીઓ વાટકો ભરીને નવશેકા પાણી સાથે લેવી ૧ માસ

 

૨. સૂચના

અ. ગોળી ચાવીને અથવા ચૂર્ણ કરીને લેવાથી તેની પરિણામકારકતા વધે છે.

આ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ગોળીઓનું ચૂર્ણ લેવું.

 

૩. ઔષધનું સુયોગ્‍ય પરિણામ થવા માટે આ કરવું ટાળવું !

મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્‍ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.

 

૪. ઔષધ લેતી સમયે ઉપાસ્‍ય દેવતાને પ્રાર્થના કરવી !

‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)

વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, મરાઠી અને અંગેજી ભાષાઓમાં ઉપલબ્ધ)

Leave a Comment