ગંધર્વ હરીતકી વટી (ગોળીઓ)

Article also available in :

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

ગંધર્વ હરીતકી વટી આ ઔષધ પેટ સાફ કરનારું છે.

 

૧. ગુણધર્મ અને સંભાવ્‍ય ઉપયોગ

આ ઔષધ પેટ સાફ કરનારું છે. તેના વિકારમાં સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.

 

ઉપયોગ ઔષધ લેવાની પદ્ધતિ સમયગાળો
બદ્ધકોષ્‍ઠતા, મળના કાંકરા થવા, પેટમાં વાયુ (ગૅસેસ) થવો, પેટ ભારે લાગવું, ઊલટી જેવું લાગવું, આમ્‍લપિત્ત, કમળો, આમવાત (સાંધા રહી જવા, સૂજવા અને દુખવા), કમર દુઃખવી, સાયટિકા અને ગોઠણ દુઃખવા દિવસમાં ૧-૨ વાર ૨-૪ ગોળીઓ ગરમ પાણી સાથે લેવી. વધુ લાભ માટે ગોળીઓ સવારે નયણે કોઠે હૂંફાળા પાણી સાથે લેવી અને ઉપર ૧ કલાક કાંઈ ખાવું-પીવું નહીં. ૧ માસ

 

૨. સૂચના

અ. ગોળી ચાવીને અથવા ચૂર્ણ કરીને લેવાથી તેની પરિણામકારકતા વધે છે.

આ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ગોળીઓનું ચૂર્ણ લેવું.

 

૩. ઔષધનું સુયોગ્‍ય પરિણામ થવા માટે આ કરવું ટાળવું !

મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્‍ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.

 

૪. ઔષધ લેતી સમયે ઉપાસ્‍ય દેવતાને પ્રાર્થના કરવી !

‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)

વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, મરાઠી અને અંગેજી ભાષાઓમાં ઉપલબ્ધ)

Leave a Comment