ચંદ્રામૃત રસ (ગોળીઓ)

Article also available in :

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

ચંદ્રામૃત રસ શ્‍વસનસંસ્‍થાને બળ આપનારી ઔષધી છે.

 

૧. ગુણધર્મ અને સંભાવ્‍ય ઉપયોગ

આ શ્‍વસનસંસ્થાને બળ આપનારું ઔષધ છે. તેનો વિકારમાં સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.

 

ઉપયોગ ઔષધ લેવાની પદ્ધતિ સમયગાળો
અ. સર્વ પ્રકારની ઉધરસ દિવસમાં ૨ – ૩ વાર ૧ થી ૪ ગોળીઓનું ચૂર્ણ પા થી ૧ ચમચી મધમાં ભેળવીને અથવા કેવળ તેટલી ગોળીઓ ચગળીને ખાવી. ૪ – ૫ દિવસ
આ. શ્‍વસનસંસ્‍થાના સર્વ વિકારોમાં શ્‍વસનસંસ્‍થાને બળ દેવા માટે ઉપયુક્ત દિવસમાં ૨ – ૩ વાર ૧ – ૨ ગોળીઓનું ચૂર્ણ અડધી ચમચી મધમાં ભેળવીને અથવા પાણી સાથે લેવું. ૧ થી ૩ માસ

 

૨. સૂચના

અ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ઔષધ લેવું.

 

૩. ઔષધનું સુયોગ્‍ય પરિણામ થવા માટે આ કરવું ટાળવું !

મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્‍ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.

 

૪. ઔષધ લેતી સમયે ઉપાસ્‍ય દેવતાને પ્રાર્થના કરવી !

‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)

Leave a Comment