સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના ઘરની આસપાસ ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરો !

Article also available in :

અનુક્રમણિકા

ભીષણ સંકટકાળમાં ઔષધીઓની ઓછપ વર્તાશે. તે માટે અત્‍યારથી જ ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવું જોઈએ. વનસ્‍પતિઓનું વાવેતર કર્યા પછી તે ઉછરીને તેનો ઉપયોગ થઈ શકે ત્‍યાં સુધી થોડો સમયગાળો લાગે છે. ઘરગથ્‍થુ ઔષધી બનાવીને તેનો ઉપયોગ શીખી લેવો પડે છે. તે માટે આ વનસ્‍પતિઓ અત્‍યારે જ વહેલી તકે વાવવાની આવશ્‍યકતા છે.’

નોંધ – આ સૂચના ઘરની આસપાસ ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવા બાબતે છે. ખેતર-ભૂમિમાં મોટા પ્રમાણમાં ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવા બાબતનો લેખ વહેલાં જ પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

૧. આ દિવસોમાં વાવવા જેવી
ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર હમણા જ કરો !

મોટા ભાગની વનસ્‍પતિઓનું વાવેતર ચોમાસાના આરંભમાં કરવું ઉત્તમ સમજવામાં આવે છે; પણ સંકટકાળ સાવ નજીક આવીને ઊભો છે, ત્‍યારે તેટલો સમય રોકાવું પોસાશે નહીં. સામાન્‍ય રીતે વનસ્‍પતિઓના વાવેતર માટે વનસ્‍પતિનાં બી, ડાળીનો ટુકડો, મૂળ દ્વારા આવનારો ફણગો (નવો રોપ), કંદ, રોપવાટિકામાં તૈયાર કરેલા રોપનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં ઠંડીને કારણે બી ને અંકુર ફૂટવાનું, તેમજ થડના કાપેલા ભાગને મૂળિયા ઉગવાનું પ્રમાણ ન્‍યૂન (ઓછું) હોય છે. કંદ પણ સુપ્‍તઅવસ્‍થામાં હોય છે. તેથી જો વધારે ઠંડી હોય, તો બી, થડનો કકડો, કંદ દ્વારા વાવેતર કરવાને બદલે જે વનસ્‍પતિઓના તૈયાર રોપ મળે છે, તેમનું વાવેતર કરવું. જો વધારે ઠંડી ન હોય, અથવા ઠંડીનું જોર ઓછું થયા પછી અન્‍ય પદ્ધતિથી પણ વાવેતર કરી શકાય છે. તેનું નિયોજન અત્‍યારથી જ કરી રાખવું.

 

૨. સ્‍થાનિક સ્‍તર પર રોપ મેળવીને ત્‍વરિત વાવેતર કરો !

‘ઘરગથ્‍થુ ઔષધીઓ માટે પ્રમુખતાથી વાવવામાં આવતી ઔષધી વનસ્‍પતિઓની સૂચિ’ નીચે આપી છે. એકાદા પાસે આ સૂચિમાંના રોપ અથવા વનસ્‍પતિઓનું માતૃવૃક્ષ (જે ઝાડથી નવું ઝાડ નિર્માણ કરી શકાય, એવા પરિપક્વ ઝાડ) પહેલેથી વાવેલા હોઈ શકે, ઉદા. કુંવારપાઠું, અરડૂસી, નગોડ, દેશી સરગવો, પારિજાત. કેટલાક રોપ કૃષિ ખાતું અથવા કૃષિવિદ્યાપીઠની રોપવાટિકામાં અથવા ખાનગી રોપવાટિકાઓમાં મળી શકે છે, ઉદા. સારી પ્રતિનો મોટો આમળો, પાતળી છાલવાળું લીંબુ. કેટલાક ઔષધી વનસ્‍પતિઓના રોપ સ્‍થાનિક આયુર્વેદિક મહાવિદ્યાલયો, વનખાતું ઇત્યાદિની રોપવાટિકામાં મળી શકે છે. આ વનસ્‍પતિઓના રોપ સ્‍થાનિક સ્‍તર પર વ્‍યાજબી દરમાં જો મળતા હોય, તો તે લઈને તેનું તરત જ વાવેતર કરવું. રોપ ક્યાં મળશે, તેની તપાસ કરવામાં પ્રત્‍યેકનો સમય વેડફાય નહીં, તે માટે એકત્રિત સ્‍તર પર નિયોજન કરવું અને એકાદાએ રોપ વિશેની તપાસનું દાયિત્‍વ લઈને અન્યોને રોપની ઉપલબ્‍ધિ વિશે જાણકારી આપવી.

‘રોપ કેવી રીતે વાવવા’, એની જો જાણકારી ન હોય, તો સ્‍થાનિક જાણકાર પાસેથી શીખી લઈને રોપનું વાવેતર કરવું.

 

૩. મોટા પ્રમાણમાં ઔષધી વનસ્‍પતિઓના
રોપ અથવા માતૃવૃક્ષ ઉપલબ્‍ધ હોય તો જાણ કરશો !

કેટલાક ઠેકાણે કેટલીક ઔષધી વનસ્‍પતિઓ મોટા પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય છે, ઉદા. કોકણમાં અઘેડો ઘણાં મોટા પ્રમાણમાં તણખલાંના સ્‍વરૂપમાં જોવા મળે છે. વાવેતર માટે અઘેડાના બી ભેગા કરી શકાય છે. કેટલાક ઠેકાણે ખેતરની વાડ તરીકે નગોડ, અરડૂસી આ ઝાડો મોટા પ્રમાણમાં વાવેલા હોય છે. આ ઝાડના થડના કકડા વાવેતર માટે ઉપલબ્‍ધ કરી આપી શકાય છે. હરડે, બહેડો, અર્જુનસાદડા જેવા ઝાડ નીચે તેનાં પુષ્‍કળ ફળો પડેલા હોવાનું જોવા મળે છે. તેનો વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે. પાનવેલના બગીચા હોય છે. આ વેલના થડના કકડામાંથી રોપ બનાવી શકાય છે. કોકણમાં વરસાદ પછી થોડા દિવસ શતાવરીની વેલ જોવા મળે છે. એકાદ જગ્‍યામાં આવી શતાવરીની વેલ મોટા પ્રમાણમાં હોઈ શકે છે.

આપણને સમગ્ર ભારતમાં ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવાનું છે. જેમની પાસે આ વનસ્‍પતિઓ નથી, તેમને તે ઉપલબ્‍ધ કરાવી આપવાની છે. તે માટે મોટા પ્રમાણમાં રોપોની નિર્મિતિ કરવી પડશે. તે માટે જેની પાસે નીચે જણાવેલી ઔષધી વનસ્‍પતિઓના રોપ અથવા માતૃવૃક્ષ મોટા પ્રમાણમાં વિનામૂલ્‍ય ઉપલબ્‍ધ થઈ શકશે તેમણે તેની જાણકારી અન્યોને આપવી.

 

૪. સ્થાનિક સ્તર પર જો રોપ ન મળે,
તો નીચે પ્રમાણે અભ્યાસ કરીને તેનું વાવેતર કરો !

સ્થાનિક સ્તર પર જો રોપ ઉપલબ્ધ થઈ શકતા ન હોય અથવા રોપની કિંમત ઘણી વધારે હોય, તો નીચે જણાવેલાં સૂત્રોનો વ્યવસ્થિત અભ્યાસ કરીને તેનું વાવેતર કરવું.

૪ અ. ઘરમાં અથવા ઘર ફરતે રહેલા સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ

વનસ્પતિના સારા ઉછેર માટે વનસ્પતિને સમગ્ર દિવસ દરમ્યાન ઓછામાં ઓછો ૩ કલાક સારો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક હોય છે. એકાદને અગાશીમાં (ગૅલેરીમાં) વાવેતર કરવાનું થાય તો ત્યાં સૂર્યપ્રકાશ આવે છે ખરો, તેનો અભ્યાસ કરવો.

૪ આ. વનસ્પતિઓની નૈસર્ગિક ઉપલબ્ધિ

કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘરની નજીક નિસર્ગતઃ જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસી, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ રોપેલા હોઈ શકે છે. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ છે, તેમણે ફરી તેનું વાવેતર કરવાની આવશ્યકતા નથી. સ્થાનિક સ્તર પર જે વનસ્પતિઓ વિનામૂલ્ય ઉપલબ્ધ થઈ શકે છે, તેનું વાવેતર કરવું.

૪ ઇ. વનસ્પતિનો આકાર અને જગ્યાની ઉપલબ્ધિ

નીચે જણાવેલી વનસ્પતિઓની સૂચિમાં વનસ્પતિઓનું તેમના આકાર અનુસાર વર્ગીકરણ કર્યું છે. પોતાની પાસે ઉપલબ્ધ જગ્યામાં કયા આકારની કેટલી વનસ્પતિઓ સમાઈ શકે, તેનો અભ્યાસ કરવો. સદનિકાના (ફ્લેટના) અથવા ઘરની અગાસીમાં વૃક્ષો વાવવાનું થાય, તો પ્રાધાન્યક્રમથી સૂચિમાંના સૂત્ર ‘અ’ અને ‘આ’ના ઝાડ પસંદ કરવા. એકાદ પાસે જો પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોય, તો નજીક રહેનારા ૨-૩ જણ મળીને જુદી જુદી ઔષધી વનસ્પતિઓની પસંદગી કરી શકે છે.

૪ ઈ. વિકારો અનુસાર આવશ્યકતા

ઘરમાંની વ્યક્તિઓને વર્તમાનમાં હોય અથવા આગળ થઈ શકે તેવા સંભવિત વિકાર ધ્યાનમાં લઈને તે અનુસાર વનસ્પતિઓની પસંદગી કરવી.

 

૫. સમયમર્યાદા રાખીને વાવેતર કરો !

જે વનસ્‍પતિઓ હમણા રોપી શકાય, તેનું વાવેતર ૧ માસ સમયમર્યાદા રાખીને પૂર્ણ કરવું. ચોમાસાના આરંભમાં કરવાના વાવેતરનું હમણા જ નિયોજન કરી રાખવું.

 

૬. ઘરગથ્‍થુ ઔષધીઓ માટે
પ્રાધાન્‍યક્રમથી વાવવા જેવી ઔષધી વનસ્‍પતિઓની સૂચિ

નીચે જણાવેલી મોટાભાગની વનસ્‍પતિઓ ભારતમાં સર્વત્ર જોવા મળે છે. આ વનસ્‍પતિઓ દૈનંદિન જીવનમાં મોટાભાગના વિકારોમાં ઉપયોગી છે. આ વનસ્‍પતિઓ કેવળ ઔષધ તરીકે જ નહીં, જ્‍યારે અન્‍ય કારણો માટે પણ ઉપયોગી છે. આગળ તેમનાં સંક્ષિપ્‍ત ઉપયોગ આપ્‍યા છે. પોતાની જગ્‍યાની ઉપલબ્ધિ અનુસાર તેમાની બની શકે તેટલી વનસ્‍પતિઓનું વાવેતર કરવું. સનાતનના મરાઠી ભાષામાંના ગ્રંથ  ‘વનસ્‍પતિઓના ઔષધી ગુણધર્મ (ભાગ ૧ અને ભાગ ૨)’માં આ વનસ્‍પતિઓ વિશેના વિગતવાર ઉપયોગ જણાવ્‍યા છે.

અ. કૂંડામાં વાવી શકાય એવી નાની વનસ્‍પતિઓ
(આ વનસ્‍પતિઓ અગાસીમાં (ગૅલેરીમાં પણ) મૂકી શકાશે.)

અનુ. ક્ર. વનસ્‍પતિનું ગુજરાતી નામ કયા વિકારમાં ઉપયોગી ? અન્‍ય ઉપયોગ વાવેતર માટે ઉપયુક્ત ભાગ
૧. તુલસી (કાળી અથવા ધોળી) શરદી, ઉધરસ, તાવ, દમ, વ્રણ (ઘા) અને જંતુ થવા નિત્‍ય પૂજા બી
૨. દૂર્વા * ઉષ્‍ણતાના વિકાર, રક્તસ્રાવ થવો અને ગર્ભપાત થવો ,, મૂળિયાના ટૂકડા
૩. કુંવારપાઠું (ધોળા બિંદુ ધરાવતું કે ન ધરાવતું) કફની ઉધરસ અને દાઝવું, ડામ બેસવો ચહેરાની સુંદરતા વધારવા માટે નવીન રોપ (ફુટવા)
૪. કાલમેઘ (કરિયાતુ) તાવ, બદ્ધકોષ્‍ઠતા (કબજિયાત) અને જંતુ થવા બી
૫. પુનર્નવા * પથરી, પેશાબના વિકાર અને સોજો આવવો લીલું શાક ડાળીનો ટૂકડો
૬. મંડૂકપર્ણી (બ્રાહ્મી) * ઊંઘ ન આવવી, ઉચ્‍ચ રક્તદાબ અને મગજના વિકાર શરબત ,,
૭. ખસ ઉષ્‍ણતાના વિકાર પીવાના પાણીમાં સુગંધ લાવવી નવીન રોપ (ફુટવા)
૮. દેશી ગલગોટા વ્રણ (ઘા) મચ્‍છર ભગાડવા માટે ઉપયુક્ત અને ફૂલઝાડ બી
૯. હળદર વ્રણ (ઘા) અને લઠ્ઠપણું રસોઈ કંદ
૧૦. આંબાહળદર મૂઢમાર લાગવો અને સોજો આવવો રસોઈ ,,
૧૧. લીલી ચા શરદી, ઉધરસ, તાવ અને પેશાબના વિકાર ચા માટે પર્યાય નવા રોપ (ફુટવા)
૧૨. ભાંગરો (ભૃંગરાજ) પેટના વિકાર, વાળ ખરવા અને વાળ ધોળા થવા શ્રાદ્ધવિધિ બી
૧૩. અઘેડો * દાંતના વિકાર શ્રી ગણપતિ, શ્રી અનંત ઇ. દેવતાઓની પત્રપૂજા માટે અને દિવાળીમાં અભ્‍યંગ સ્‍નાન પહેલાં પાપનિવારણ માટે બી
૧૪. પાન અજમો ભૂખ ન લાગવી અને જંતુ થવા ભજિયાં ડાળીનો ટુકડો
૧૫. વેખંડ બેશુદ્ધ પડવું અને કફના વિકાર અનાજ, પુસ્‍તકો ઇ. નું કીડ લાગવા સામે સંરક્ષણ કંદ
૧૬. આદું (નોંધ ૧) ઉધરસ, અપચો અને સંધિવા રસોઈ કંદ
૧૭. પાનફૂટી (પર્ણબીજ) * પથરી પાન
૧૮. ફૂદીનો (નોંધ ૨) અપચો થવો અને પેટ ફૂલવું રસોઈ મૂળિયાં
૧૯. અક્કલકરો * આંકડી આવવી, જીભ ભારે થવી અને દાંતના વિકાર ડાળીનો ટુકડો
૨૦. ‘ઇન્‍સુલિન’નું ઝાડ (‘પેવ’ વનસ્‍પતિનો પ્રકાર) * મધુમેહ ,,

નોંધ ૧ – બજારમાં વેચાતા મળનારા જૂના થયેલા વાવેતર માટે આદુની આંખોનો ઉપયોગ કરવો જોઈએ.
નોંધ ૨ – બજારમાં વેચાતા મળનારા ફૂદીનાના પાન રસોઈ માટે ઉપયોગમાં લેવા અને મૂળિયાં ધરાવતા થડ દ્વારા વાવેતર કરવું

આ. કૂંડામાં વાવી શકાય; પણ આધાર
આપવો પડે, એવી વેલવર્ગીય (વેલ જેવી) વનસ્‍પતિઓ

અનુ. ક્ર. વનસ્‍પતિનું ગુજરાતી નામ કયા વિકારમાં ઉપયોગી ? અન્‍ય ઉપયોગ વાવેતર માટે ઉપયુક્ત ભાગ
૧. ગળો (અમૃતા) * તાવ, કમળો અને રોગપ્રતિકાર શક્તિ અલ્‍પ હોવી હંમેશાં ઉકાળો કરી લેવાથી આરોગ્‍ય સારું રહે છે. ડાળીનો ટુકડો
૨. જાઈ * વ્રણ (ઘા) અને મોઢું આવવું ફૂલઝાડ ,,
૩. નાગરવેલનાં પાનની વેલ (પાનવેલ) ઉધરસ અને દમ દેવપૂજા ,,
૪. શતાવરી * નબળાઈ, ગર્ભાશયના વિકાર અને શુક્રાણુઓની સંખ્‍યા અલ્‍પ હોવી કંદનું શાક બી અથવા કંદ
૫. કાંડવેલ (હાડસાંધિ)* અસ્‍થિભંગ અને સંધિવા ડાળીનો ટૂકડો
૬. પિંપળી (પીપર) ઉધરસ અને અપચો મસાલામાં ઉપયોગી ,,
૭. મિરવેલ (મરીની વેલ) ઉધરસ, દમ, અપચો ,, ,,
૮. ગુડમાર (બેડકી) મધુમેહ ,,

ઇ. ઘર ફરતે જમીનમાં વાવવા જેવી ઝાડવાના વર્ગની વનસ્‍પતિ

અનુ. ક્ર. વનસ્‍પતિનું ગુજરાતી નામ કયા વિકારમાં ઉપયોગી ? અન્‍ય ઉપયોગ વાવેતર માટે ઉપયુક્ત ભાગ
૧. અરડૂસી કફની ઉધરસ, તાવ, ઉષ્‍ણતાના વિકાર અને કમળો ઘરમાંનાં શાક, ફળો ઇત્‍યાદિ તાજા  રાખવા માટે ડાળીનો ટુકડો
૨. નગોડ શરીરમાં કળતર અને જંતુ થવા અનાજમાં કીડા ન થાય તે માટે ,,
૩. ધોળી અથવા લાલ દેશી જાસૂદ વાળ ખરવા, વાળ ધોળા થવા અને સ્‍ત્રીઓના વિકાર ,, ,,
૪. પાતળી છાલવાળું લીંબુ અપચો અને આમ્‍લપિત્ત રસોઈ બી
૫. આકડો (ધોળો અથવા લાલ) સંધિવા અને જલોદર દેવપૂજા બી અથવા ડાળીનો ટુકડો
૬. એરંડ (સુરતી એરંડિયાનું ઝાડ) (નોંધ) * વાતના સર્વ વિકાર બી માંથી દૂધમાં પૌષ્ટિક ખીર કરી શકાય છે. ,,

નોંધ – સુરતી એરંડ : હાથની આંગળીઓની જેમ પાનના પાંચ ભાગ ધરાવતું એરંડિયાનું ઝાડ. જૈવ ઇંધન માટે વાપરવામાં આવતો પીળા ગોળ ફળો ધરાવનારો (મોગલી) એરંડ નહીં.

ઈ. ઘર ફરતે જમીનમાં વાવવા
જેવા ૧૦ થી ૧૫ ફૂટ ઊંચાઈ ધરાવતા નાના વૃક્ષ

અનુ. ક્ર. વનસ્‍પતિનું ગુજરાતી નામ કયા વિકારમાં ઉપયોગી ? અન્‍ય ઉપયોગ વાવેતર માટે ઉપયુક્ત  ભાગ
૧. મીઠો લીમડો કોલેસ્‍ટ્રોલ વધવું, હૃદયના વિકાર રસોઈ બી
૨. દેશી સરગવો અસ્‍થિભંગ અને નબળાઈ શાક બી અથવા ડાળીનો ટુકડો
૩. પારિજાત તાવ ફૂલઝાડ ,,
૪. આમળાં આંખોના વિકાર અને પાચનસંસ્‍થાના વિકાર ફળઝાડ સારા પ્રતિની કલમો
૫. કોકંબ (કોકમ) ત્‍વચા પર પિત્ત ઊઠવું રસોઈ બી
૬. નાગકેસર પેશાબ, શૌચ ઇત્‍યાદિ માર્ગમાંથી લોહી પડવું ફૂલઝાડ ,,

ઉ. ઘર ફરતે વાવવા જેવા મોટાં વૃક્ષો

અનુ. ક્ર. વનસ્‍પતિનું ગુજરાતી નામ કયા વિકારમાં ઉપયોગી ? અન્‍ય ઉપયોગ વાવેતર માટે ઉપયુક્ત ભાગ
૧. કડવો લીમડો વ્રણ (ઘા), મધુમેહ અને ત્‍વચાના વિકાર દાંત ઘસવા માટે દાતણ બી
૨. બીલી મધુમેહ અને પાંડુરોગ દેવપૂજા ,,
૩. સીતા અશોક (નોંધ) સ્‍ત્રીઓના વિકાર ફૂલઝાડ ,,
૪. હરડે * આંખોના વિકાર, બદ્ધકોષ્‍ઠતા અને પાચનસંસ્‍થાના વિકાર છાંયો ,,
૫. બહેડો ઉધરસ અને દમ ,, ,,
૬. અર્જુન * હૃદયના વિકાર ,, ,,

નોંધ – અનેક ડાળીઓ ધરાવનારો, તાંબાના રંગનાં કૂણા પાન ધરાવનારો અને ગુચ્‍છામાં ફૂલો ખીલનારો અશોક (આસોપાલવ). શોભાના ઝાડ તરીકે વાવવામાં આવનારો, શંકૂ આકારમાં સીધો વૃદ્ધિ પામનારો અશોક (આસોપાલવ) નહીં.

ઊ. અન્‍નધાન્‍યના અભાવમાં, તેમજ
હંમેશાં માટે પણ પેટ ભરવા માટે ખાઈ શકાય તેવા કંદ

અનુ. ક્ર. વનસ્‍પતિનું ગુજરાતી નામ વાવેતર માટે ઉપયુક્ત ભાગ
૧. સાબૂકંદ (ટૅપિઓકા) (નોંધ) * ડાળીનો ટુકડો
૨. કણગર (કણગી) કંદ
૩. શક્કરિયું કંદ

ઉપરની સારણીઓમાં જે વનસ્‍પતિઓની સામે ‘*’ ચિહ્‌ન છે, તે વનસ્‍પતિઓનાં રંગીન છાયાચિત્રો સનાતનનો મરાઠી ભાષામાંનો ગ્રંથ ‘ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરો !’માં આપ્‍યાં છે.

Leave a Comment