શ્રીકૃષ્ણ જન્માષ્ટમી

શ્રાવણ વદ પક્ષ આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. આ નિમિત્તે શ્રીકૃષ્ણ ભગવાનની કેટલીક વિશિષ્ટતાઓ અને તેમની ઉપાસનાના સંદર્ભમાં ઉપયુક્ત એવા અધ્યાત્મશાસ્ત્રીય માહિતીનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 

શ્રીકૃષ્ણ ભગવાનની કેટલીક વિશિષ્ટતાઓ !

કુશળ રાજનીતિજ્ઞ, મહાન તત્ત્વવેત્તા, સમાજરક્ષણ એ જ ધ્યેય રાખનાર, સામાજિક કર્તવ્યો બાબતે દક્ષ રહેનારા, બધું જ અન્યોના કલ્યાણ માટે જ કરનારા, અન્યાય સહન ન કરનારા, દુર્જનોનો નાશ કરનારા, આ બધી ભગવાન શ્રીકૃષ્ણની મહત્ત્વની વિશિષ્ટતાઓ છે.

‘શ્રી’ અક્ષરનો અર્થ

‘શ્રીકૃષ્ણ’ આ શબ્દમાં રહેલો ‘શ્રી’ એટલે શક્તિ, સૌંદર્ય, સદ્ગુણ, વૈવ ઇત્યાદિનો સમુચ્ચય અથવા સંગ્રહ. પોતાના નામની પહેલા ‘શ્રી’ લગાડે છે. તેમાં ‘શ્રી’ લખ્યા પછી પૂર્ણવિરામ ચિન્હ હોય છે; કારણ કે તે ‘શ્રીયુત’નું સંક્ષિપ્ત રૂપ છે. આપણે ‘શ્રીયુત’ હોઈએ છીએ, અર્થાત્ ‘શ્રી’થી યુક્ત હોઈએ છીએ, એટલે જ કે આપણામાં ભગવાનનો અંશ હોય છે. આનાથી ઉલ્ટું ‘શ્રીકૃષ્ણ’ આ નામમાં ‘શ્રી’ પછી પૂર્ણવિરામ આવતો નથી; કારણકે શ્રીકૃષ્ણ પોતે જ ભગવાન છે.

શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કેવી રીતે કરવું ?

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભુ ચંદન લગાડવું.

શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતી વેળાએ તેમને ટચલી આંગળીની પાસેની આંગળી, અર્થાત્ અનામિકાથી ચંદન લગાડવું. શ્રીકૃષ્ણ ભગવાનને હળદર-કંકુ ચઢાવતી વેળાએ પહેલા હળદર અને પછી કંકુ જમણા હાથનો અંગૂઠો અને અનામિકાની ચપટીમાં લઈને ચરણો પર ચઢાવવું, અંગૂઠો અને અનામિકા જોડવાથી થનારી મુદ્રાને કારણે પૂજકના શરીરમાં રહેલા અનાહતચક્રની જાગૃતિ થાય છે. તેથી ભક્તિભાવ નિર્માણ થવામાં સહાયતા થાય છે.

 

શ્રીકૃષ્ણ ભગવાનને તુલસી શા માટે ચડાવે છે ?

દેવતાના પવિત્રકો અર્થાત્ દેવતાના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ. જે વસ્તુઓમાં વિશિષ્ટ દેવતાઓના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા અન્ય વસ્તુઓ કરતાં વધારે હોય, તેવી વસ્તુઓ ભગવાનને ચઢાવવાથી, સહજતાથી દેવતાની મૂર્તિમાં દેવતાનું તત્ત્વ આવે છે અને તેથી દેવતાના ચૈતન્યનો લાભ આપણને વહેલો થાય છે. તે માટે જ શ્રીકૃષ્ણ ભગવાનને તુલસી ચઢાવાય છે. તુલસીમાં કૃષ્ણતત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કાળી તુલસી શ્રીકૃષ્ણના મારક તત્ત્વનું, જ્યારે લીલા પાંદડા ધરાવતી તુલસી, એ શ્રીકૃષ્ણના તારક તત્ત્વનું પ્રતીક છે.

શ્રીકૃષ્ણ ભગવાનને કયા ફૂલો ચઢાવવા ?

કૃષ્ણકમળના ફૂલોમાં શ્રીકૃષ્ણના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે હોવાથી આ ફૂલો શ્રીકૃષ્ણને ચઢાવવા. દેવતાનાં ચરણોમાં ફૂલો વિશિષ્ટ સંખ્યામાં અને વિશિષ્ટ આકારમાં ચઢાવવાથી તે ફૂલો ભણી દેવતાનું તત્ત્વ વહેલું આકર્ષિત થાય છે. તે અનુસાર શ્રીકૃષ્ણ ભગવાનને ફૂલો ચઢાવતી વેળાએ તે ત્રણ અથવા ત્રણગણાં અને લંબગોળાકાર આકારમાં ચઢાવવા. શ્રીકૃષ્ણ ભગવાનને અત્તર ચઢાવતી વેળાએ ચંદનનું ચઢાવવું.

 

શ્રીકૃષ્ણ ભગવાનના તારક અને મારક
તત્ત્વો માટે ઉપયોગમાં લેવાતી અગરબત્તી

શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતી વેળાએ તેમનું તારક તત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત કરવા માટે ચંદન, કેવડા, ચંપો, ચમેલી, જાઈ, ખસ અને અંબર પૈકી કોઈપણ સુગંધની અગરબત્તી વાપરવી, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનનું મારક તત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત કરવા માટે હિના અથવા દરબાર આ સુગંધની અગરબત્તી વાપરવી. ભક્તિના આરંભના તબક્કે દેવતાને બે અગરબત્તીથી ઓવાળવું વધારે યોગ્ય છે. જ્યારે ભક્તિના આગળના તબક્કાઓમાં એક અગરબત્તીથી ઓવાળવું. દેવતાને અગરબત્તીથી ઓવાળતી વેળાએ અગરબત્તી જમણા હાથની તર્જની એટલે અંગૂઠા પાસેની આંગળી અને અંગૂઠામાં પકડીને ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણવાર ઓવાળવું.

 

શ્રીકૃષ્ણ એટલે પૂર્ણાવતાર !

શ્રીકૃષ્ણ એક જ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને પૂર્ણાવતાર એમ કહ્યું છે.

શ્રીકૃષ્ણ ભગવાનને કેટલી પ્રદક્ષિણા ફરવી ?

શ્રીકૃષ્ણ ભગવાન ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરે છે. તેના દર્શક તરીકે શ્રીકૃષ્ણ ભગવાનને ઓછામાં ઓછી ત્રણ અથવા ત્રણગણી પ્રદક્ષિણા ફરવી. પ્રત્યેક પ્રદક્ષિણા પછી દેવતાને નમસ્કાર કરીને પછી જ આગળની પ્રદક્ષિણા ફરવી. અધિક પ્રદક્ષિણા જો ફરવાનું થાય, તો બને ત્યાં સુધી તે સંખ્યાગણી પ્રદક્ષિણાઓ ફરવી. પ્રદક્ષિણા ફરવાથી દેવતા પાસેથી પ્રક્ષેપિત થનારું ચૈતન્ય અલ્પકાલાવધિમાં સંપૂર્ણ શરીરમાં સંક્રમિત થાય છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત લઘુગ્રંથ ‘શ્રીકૃષ્ણ’