કોરોનાના અનુષંગે આપદ્ધર્મના ભાગ તરીકે અક્ષય તૃતીયાના દિવસે આગળ જણાવેલી કૃતિઓનું આચરણ કરી શકાય

પ્રસ્‍તાવના

અખાત્રીજના દિવસે દાન

સાડાત્રણ મુહૂર્તોમાંથી એક પૂર્ણ મુહૂર્ત રહેલા અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે તલતર્પણ કરવું, ઉદકુંભદાન (ઉદકકુંભદાન) કરવું, મૃત્તિકા પૂજન કરવું, તેમજ દાન દેવાનો પ્રઘાત (ધારો) છે. તેની પાછળ રહેલું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર આપણે સમજી લઈએ. સદર લેખમાં વિશદ કરેલું આ અધ્‍યાત્‍મશાસ્‍ત્ર ધર્મ દ્વારા સર્વસામાન્‍ય સમય માટે કહ્યું છે. બધું જ અનુકૂળ હોય અને ધર્મ પ્રમાણે આચરણ કરી શકાય, તેને ‘સંપત્‍કાળ’ કહે છે.

અહીં એક મહત્ત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ આપત્‍કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘आपदि कर्तव्‍यो धर्मः । અર્થાત્ વિપદામાં આચરવા જેવો ધર્મ. વર્તમાનના કોરોના પ્રાદુર્ભાવની પાર્શ્‍વભૂમિ પર સંપૂર્ણ દેશમાં લૉકડાઊન છે. આ સમયગાળામાં અખાત્રીજ આવતી હોવાથી સંપત્‍કાળમાં કહેલી કેટલીક ધાર્મિક કૃતિઓ આ સમયે કરી શકાશે નહીં.

આ દૃષ્‍ટિએ સદર લેખમાં ધર્માચરણ તરીકે શું કરી શકાશે, તેનો વિચાર પણ કરવામાં આવ્‍યો છે. અહીં મહત્ત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ કયા સ્‍તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે, આ વાત શીખવા મળે છે. તેમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્‍વ રેખાંકિત થાય છે.

 

કોરોનાના પ્રાદુર્ભાવથી હમણા આપણે ઘર-બહાર નીકળી શકતા નથી.
તેના અનુષંગે આપદ્ધર્મના ભાગ તરીકે આગળ જણાવેલી કૃતિઓ કરી શકાશે

૧. પવિત્ર સ્‍નાન

આપણે ઘરમાં જ ગંગાજીનું સ્‍મરણ કરીને સ્‍નાન કરવાથી ગંગાસ્‍નાનનો આપણને લાભ થશે. તે માટે આગળ જણાવેલો શ્‍લોક બોલીને સ્‍નાન કરવું

गंगे च यमुने चैव गोदावरि सरस्‍वति। नर्मदे सिंधु कावेरी जलेस्‍मिन् सन्‍निधिं कुरु ।

૨. સત્‍પાત્રે દાન

વર્તમાનમાં વિવિધ ઑનલાઈન સુવિધાઓ ઉપલબ્‍ધ છે. તો અધ્‍યાત્‍મપ્રસાર કરનારા સંતો અથવા આવી સંસ્‍થાઓને આપણે ઑનલાઈન અર્પણ આપી શકીએ. ઘરેથી જ અર્પણ આપી શકાય છે.

૩. ઉદકુંભનું દાન

અખાત્રીજના દિવસે ઉદકુંભ દાન કરવું, એવું શાસ્‍ત્ર છે. આ દિવસે આ દાન કરવા માટે બહાર નીકળવું સંભવ ન હોય તો અખાત્રીજના દિવસે દાનનો સંકલ્‍પ કરવો અને સરકારી નિયમો અનુસાર જ્‍યારે બહાર નીકળવું સંભવ બને, ત્‍યારે જ દાન કરવું.

૪. પિતૃતર્પણ

પિતરોને પ્રાર્થના કરીને ઘરેથી જ પિતૃતર્પણ કરી શકાશે.

૫. કુળાચાર અનુસાર અખાત્રીજના દિવસે કરવામાં આવનારી ધાર્મિક કૃતિઓ

ઉપર જણાવેલી કૃતિઓ ઉપરાંત કુળાચાર અનુસાર અખાત્રીજના દિવસે જો તમે અન્‍ય કેટલીક ધાર્મિક કૃતિઓ કરતા હોવ, તો તે વર્તમાન સરકારી નિયમો અનુસાર કરી શકાશે કે કેમ, તે જોવું.

Leave a Comment