પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીત સાધનાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની ઉપલબ્‍ધ કરી આપેલી અમૂલ્‍ય તક !

૧. ભગવાન સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે પરાત્‍પર ગુરુ
ડૉ. આઠવલેજીએ જ નિર્માણ કરેલી વિવિધ કલાઓમાંથી સંગીત આ એક કલા હોવી

‘નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને ‘‘एकोऽहम् । बहुस्‍याम्  ।’  અર્થાત્ ‘હું એક છું અને અનેકમાં રૂપાંતરિત થઈશ’, એવા રૂપમાં પોતાને નિહાળવાની ઇચ્‍છા થઈ. તેની જ પરિણતિ એટલે તેમણે કરેલી સૃષ્‍ટિની ઉત્‍પત્તિ. આ સૃષ્‍ટિમાંનો પ્રત્‍યેક જીવ તે સમયે ‘‘सोऽहम्’ અર્થાત્ તે જ હું છું’, આ ભાવમાં હતો, અર્થાત્ જ પ્રત્‍યેક જીવને ‘પોતે ભગવાનનો અંશ છે’, તેની પૂર્ણ જાણ હતી. સૃષ્‍ટિની રચના સમયે જ ભગવાને તેની સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્‍યાનયોગ અને ભક્તિયોગ ઇત્‍યાદિ વિવિધ યોગમાર્ગોની નિર્મિતિ કરી.

આ સાથે જ ‘વિવિધ દૈવી કલાઓની ઉત્‍પત્તિ કરીને તે સાથે પણ જીવે સાધના કરીને ભગવાનની પ્રાપ્‍તિ કરી લેવી’, આ તેની પાછળનો ઉદ્દેશ હતો. સંગીત એ તેમાંની જ એક કલા છે. ગાયન, વાદન અને નૃત્‍ય આ ત્રણેય કલાઓનો જેમાં સમાવેશ થાય છે, તેને ‘સંગીત’ એવું કહે છે.

 

૨. પ્રાચીન ભારતીય સંગીતની સમૃદ્ધતાનાં ઉદાહરણો

૨ અ. સંગીતનો ઉપયોગ કરીને ગાયકે નાદબ્રહ્મની અનુભૂતિ લેવી

શિવજીના ડમરુમાંથી ઉત્‍પન્‍ન થયેલો ‘ૐ’કાર આ સૃષ્‍ટિમાંનો પ્રથમ નાદ છે. ત્‍યાર પછી સમયજતાં આ નાદને જોડીને વિવિધ શબ્‍દોનું પ્રચલન (મૂળ નિર્ગુણમાંનો ૐ કાર સગુણ રૂપમાં આવતી વેળાએ નાદને વિવિધ શબ્‍દોનો સંગાથ આપવામાં આવ્‍યો. તે પ્રક્રિયા એટલે પ્રચલન.) ચાલુ થયું. આ રીતે સંગીત વિવિધ શબ્‍દો દ્વારા વ્‍યક્ત થવા લાગ્‍યું. આપણા પ્રાચીન કાળમાં ગાયક સંગીતનો ઉપયોગ સાધના કરવા માટે કરતા હતા અને તેમાંથી જ બ્રહ્મનાદની અનુભૂતિ લેતા હતા.

૨ આ. એકેક સ્‍વર સિદ્ધ કરીને ગાયકે સાધના તરીકે ગાવું

પ્રાચીન કાળમાં ભારતીય સંગીત અતિશય સમૃદ્ધ હતું. સંગીતમાંના એકેક સ્‍વરને સિદ્ધ કરીને ગાયક સાધના તરીકે ગાતા હતા. રાગોના સ્‍વર સમૂહ પર પ્રભુત્‍વ પ્રાપ્‍ત કરીને દીપ પ્રજ્‍વલિત કરવો, તેમજ ચોખ્‍ખું આકાશ મેઘથી આચ્‍છાદિત કરવું, આ વાત તેમને સહજ સંભવ થતી હતી.

૨ ઇ. સંગીતના ઉપયોગથી રોગ સાજા કરવા

આયુર્વેદમાં પણ સંગીતનો ઉપયોગ કરીને રુગ્‍ણોના વિવિધ રોગ સાજા કરવાનાં ઉદાહરણો પ્રાચીન ઇતિહાસમાં જોવા મળે છે.

 

૩. સંગીતકલાની પાયમાલી થવાનાં કારણો

સાધનાસમૃદ્ધ સંગીતકળાની સમયજતાં પાયમાલી જ થતી ગઈ હોવાનું આપણને જોવા મળે છે. માનવીનો આધ્‍યાત્‍મિક સ્‍તર જેમ જેમ ઘટતો ગયો, તેમ તેમ સંગીત ભણી ઈશ્‍વરપ્રાપ્‍તિ માટેના માધ્‍યમ તરીકે જોવાની દૃષ્‍ટિ લોપ પામીને ‘મનોરંજન માટે સંગીત’ એવો દૃષ્‍ટિકોણ વધારેમાં વધારે દૃઢ થતો ગયો. તે માટે તેવાં જ વિવિધ કારણો પણ છે.

૩ અ. યવની આક્રમણો

સંગીતકળાની પાયમાલી થવા માટે મોટાભાગે કારણીભૂત છે યવની આક્રમણો ! તેમણે ભારતમાં આવીને કેવળ રાજ્‍ય કરવાને બદલે આપણી સંસ્‍કૃતિ પણ નષ્‍ટ કરવાના પૂર્ણ પ્રયત્નો કર્યા.

૩ આ. ઈશ્‍વરપ્રાપ્‍તિ નહીં, પણ લોકેષણા
પ્રાપ્‍ત કરવી, આ સંગીતનો ઉદ્દેશ હોવાનું જનમાનસમાં દૃઢ કરવું

ઈશ્‍વરપ્રાપ્‍તિ આ સંગીતનો ઉદ્દેશ નથી, પણ મનોરંજન, રાજાઓના હદ બહારનાં વખાણ કરવા, રાજદરબારમાં વાહવાહ મેળવવી, ઇનામ મેળવવું, ઇત્‍યાદિ માટે જ તે હોવાનું જનમાનસમાં દૃઢ કરવાથી સંગીતની અપરિમિત હાનિ થઈ. તેમાંથી જ કવ્‍વાલી, ઠુમરી ઇત્‍યાદિ ગીત પ્રકારો ચલનશીલ બન્‍યા.

૩ ઇ. પ્રસિદ્ધ હિંદુ ગાયક-વાદકોનું ધર્માંતર કરવું

યવની આક્રમણકારીઓ એટલું જ કરીને થોભવાને બદલે તે સમયના ઘણા પ્રસિદ્ધ હિંદુ ગાયકો અને વાદકોને તેમણે ઇસ્‍લામ પંથમાં ધર્માંતરિત કર્યા. આજે તેને કારણે જ તાનસેન જેવા ઘણા હિંદુ ગાયકોનો ગાયન વારસો તેમની ઇસ્‍લામ પેઢી જ ચલાવી રહી છે.

૩ ઇ ૧. ‘સંગીતનો ઉપયોગ જો સાધના તરીકે કરીએ તો ગાયનમાં કેટલી તાકાત આવે છે’, આ વાત સ્‍પષ્‍ટ કરનારી કથા
૩ ઇ ૧ અ. અકબરને તાનસેનના ગુરુદેવનું ગાયન સાંભળવાની ઇચ્‍છા થવી અને તેણે વેશ પલટો કરીને તાનસેન સાથે ગુરુદેવનું ગાયન સાંભળવા જવું

એકવાર રાજા અકબરે ગાનસમ્રાટ તાનસેનને પૂછ્‍યું, ‘‘તું અતિશય સુંદર ગાયન કરે છે. જેમણે તને આ સંગીત શીખવ્‍યું, તે તારા ગુરુદેવનું સંગીત મારે એકવાર સાંભળવું છે.’’ ત્‍યારે તાનસેને કહ્યું, ‘‘મહારાજ, જો મારા ગુરુનું ગાયન તમારે સાંભળવું હોય, તો ચોરીછૂપીથી સાંભળવું પડશે; કારણકે તે કોઈના માટે થઈને ગાતા નથી.’’ ત્‍યારે અકબર બાહશાહે તાનસેન સાથે જવાની સિદ્ધતા દર્શાવી. તે પ્રમાણે અકબર અને તાનસેન વેશપલટો કરીને સ્‍વામી હરિદાસ પાસે બ્રાહ્મમુહૂર્ત પર પહોંચ્‍યા.

૩ ઇ ૧ આ. સ્‍વામી હરિદાસનું ગાયન સાંભળીને અકબરે સમાધિ અવસ્‍થા અનુભવવી

સ્‍વામી હરિદાસે પોતાના પ્રાતઃવિધિ આટોપીને સૂર્યને અર્ઘ્‍ય આપ્‍યું અને ઝૂંપડીમાં આવીને ગાવાનો આરંભ કર્યો. તેમનું ગાયન સાંભળીને અકબર બાહશાહની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્‍યા અને તે એક વિલક્ષણ એવી સમાધિ અવસ્‍થા અનુભવી રહ્યો હતો. થોડા સમય પછી તે સ્‍થિતિમાંથી બહાર આવ્‍યા પછી તાનસેન અને અકબર પાછા ફર્યા.

૩ ઇ ૧ ઇ. પોતાનું ગીત લોકેષણા માટે છે અને ગુરુદેવનું ગાયન કેવળ જગન્‍નિયંતા પરમેશ્‍વર માટે હોવાથી તેમના ગાયનમાં સામર્થ્‍ય હોવાનું તાનસેને કહેવું

પાછા ફરતી વેળાએ પ્રવાસ દરમ્‍યાન અકબરે તાનસેનને પૂછ્‍યું, ‘‘તારા ગીતને તો તારા ગુરુદેવના ગાયનનો જરા પણ અણસાર નથી. એમ શા માટે ?’’ ત્‍યારે તાનસેન ઉત્તર આપે છે, ‘‘તમારું કહેવું સાચું છે મહારાજ. મારું ગાયન મારા ગુરુદેવના ગાયન સામે કોડીની કિંમતનું પણ નથી. અમારા ગાયનમાં આ ભેદ હોવાનું કારણ એટલે મારું ગાયન લોકેષણા માટે, તમને ખુશ કરવા માટે છે, જ્‍યારે મારા ગુરુદેવ કેવળ જગન્‍નિયંતા પરમેશ્‍વર માટે ગાય છે.’’

‘સંગીતનો ઉપયોગ સાધના તરીકે કરવાથી તે ગાયનમાં કેટલું સામર્થ્‍ય આવે છે’, આ વાત આના પરથી ધ્‍યાનમાં આવે છે. ‘સંગીતનું ક્રમણ અધોગતિ ભણી કેવી રીતે થવા લાગ્‍યું’, આ વાત તાનસેને આપેલા ઉત્તર પરથી ધ્‍યાનમાં આવે છે.

૩ ઈ. સંગીતને શૃંગારિકતા ભણી વાળવું

આ ઇસ્‍લામી રાજવટીઓએ રાજદરબારમાં સંગીતને વિશેષ સ્‍થાન આપ્‍યું અને ધીમે ધીમે સંગીતને શૃંગારિકતા ભણી વાળ્યું. તેથી સંગીતમાં કામુક ભાવ વધારે દેખાવાનો આરંભ થયો. આ રીતે ઈશ્‍વર ભક્તિથી કામવાસના ભણી દોરી જનારા સંગીતનો આરંભ થયો.

ઉત્તર ભારતીય સંગીતની આ સ્‍થિતિ ભલે હોય, તો પણ અત્રે અગત્‍યતાથી ઉલ્‍લેખ કરવાનું મન થાય છે કે, મોગલોના આટલાં આક્રમણો પછી પણ દાક્ષિણાત્‍ય સંગીતે આજે પણ તેની પારંપારિક સંગીતસાધના જાળવી રાખી છે.

૩ ઉ. ભારતીય સંગીતમાં વિદેશી પૉપ ગાયનનો અંતર્ભાવ થવો

ત્‍યાર પછી હમણાના સરવાળે બધા જ ભારતીય સંગીતમાં વિદેશી પૉપ ગાયનનો અંતર્ભાવ થવા લાગ્‍યો છે. તેથી ભારતીય સંગીતનું રૂપાંતર હવે પશ્‍ચિમી ગાયનમાં થવા લાગ્‍યું છે. કર્ણકર્કશ અવાજ, અનેક વાદ્યો એકસામટાં વગાડવાં અને કામુક હાવભાવ તેમજ બોલના આધાર પર આપણે આજે સંગીતનું અધઃપતન નિહાળી રહ્યા છીએ. હમણાના ગાયન વિશે એક સંગીતકારે કહ્યું છે, ‘‘પશ્‍ચિમી સંગીતથી કેવળ શરીર ડોલે છે, જ્‍યારે શાસ્‍ત્રીય સંગીતમાં અંતઃકરણની ભાળ મેળવવાની શક્તિ છે.’’

 

૪. મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના માધ્‍યમ દ્વારા
‘ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે સંગીતકળા’ આ સાધનામાર્ગથી સાધનાનો કરેલો આરંભ !

૪ અ. મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય ઈશ્‍વરનિર્મિત
સર્વ કલાઓનું ગતવૈભવ પાછું મેળવવા માટે કાર્યરત હોવું

પરમેશ્‍વરની જ કૃપા છે કે, આજે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના માધ્‍યમ દ્વારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી રૂપી શ્રીમન્‍નારાયણનો અવતાર સદર કલાઓના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની દિશામાં આપણને ફરીવાર દોરી જાય છે. ‘સંગીત જ નહીં, જ્‍યારે ઈશ્‍વર-નિર્મિત સર્વ કલાઓ આજના કાળમાં પણ ઈશ્‍વરપ્રાપ્‍તિ કરાવી આપી શકે છે’, આ વાત સિદ્ધ કરવા માટે અને સંગીતની સાથે જ સર્વ કલાઓનું ગતવૈભવ પુનર્પ્રાપ્‍ત કરવા માટે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય કાર્યરત છે.

૪ આ. ‘સંગીતના માધ્‍યમ દ્વારા નાદબ્રહ્મની અનુભૂતિ
થાય છે’, આ સિદ્ધ કરવા માટે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય કટિબદ્ધ હોવું

હજી સુધી ‘તાનસેને દીપ રાગ ગાઈને દીપ પ્રજ્‍વલિત કર્યા. મલ્‍હાર રાગ ગાઈને વરસાદ પાડ્યો’, આ બાબત આપણે સાંભળી છે. આ કાંઈ ટાઢાપહોરના ગપગોળા નથી. આ શાસ્‍ત્ર છે. આજે ‘સંગીતશાસ્‍ત્રના માધ્‍યમ દ્વારા ખરેખર નાદબ્રહ્મની અનુભૂતિ લઈ શકાય છે’, એ જ આપણે ફરીવાર સિદ્ધ કરવાનો સમય પાકી ગયો છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ ગાયનમાં રુચિ ધરાવનારા, ગાયન, વાદન આ કલાઓ શીખેલાઓને સંગીતના માધ્‍યમ દ્વારા સાધના કરવાની એક સોનેરી તક જ મળી છે. આ સાધનાના ભાગ તરીકે કેટલાક સાધક-વિદ્યાર્થીઓએ હવે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે સંગીતકલા’ આ સાધનામાર્ગથી સાધનાનો આરંભ કર્યો છે.

૪ ઇ. ભાવિ આપત્‍કાળની દૃષ્‍ટિએ ‘સંગીત-ઉપચાર પદ્ધતિ’ આ વિશેના અભ્‍યાસનો પણ આરંભ !

પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા. તે સમયે આપણી સંગીતકળા એટલી સમૃદ્ધ હતી કે પૃથ્‍વી, આપ, તેજ, વાયુ અને આકાશ આ પંચતત્વો સાથે સંબંધિત વિવિધ રાગોના ગાયનથી રુગ્‍ણોના વિવિધ રોગોનું નિવારણ થતું હતું. ભાવિ આપત્‍કાળ માટે આવશ્‍યક અને યોગ્‍ય એવી ઉપચારપદ્ધતિ પર પણ આપણે ભાર દઈ રહ્યા છીએ. તે દૃષ્‍ટિએ ‘સંગીત-ઉપચાર પદ્ધતિ’ આ વિષયનો પણ સાધક-વિદ્યાર્થી અભ્‍યાસ કરી રહ્યા છે.

૪ ઇ ૧. પ્રાચીન ભારતીય સંગીતશાસ્‍ત્રના આધાર પર વિવિધ રોગો પર સંગીત-ઉપચારોનું પરિણામ જોવા માટે અભ્‍યાસ અને પ્રયોગ કરવાના હોવા

આજે વિદેશમાંના લોકો પણ આપણા પ્રાચીન પ્રગત સંગીતશાસ્‍ત્રનો અભ્‍યાસ કરીને સંશોધન દ્વારા માનવીના શારીરિક, માનસિક રોગોના નિવારણ માટે સંગીત-ઉપચાર પદ્ધતિના (‘મ્‍યુઝિક-થેરપી’ના) પરિણામકારી અનુભવ અનુભવી રહ્યા છે. તેની તુલનામાં આજે ભારતમાં સંગીત-ઉપચાર પદ્ધતિનો લાભ આપણે જોઈએ તેટલા પ્રમાણમાં કરી લેતા ન હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું છે. આપણા પ્રાચીન દૈવી સંગીતશાસ્‍ત્રનો આપણે લાભ કરી લઈ શકીએ, તે માટે ‘સંગીતમાંના વિવિધ રાગ વિવિધ રોગો પર કેવી રીતે ઉપયુક્ત છે ? તે રાગ સાંભળીને શું જણાય છે ?’ આ વિશે પણ સાધક-વિદ્યાર્થી અભ્‍યાસ અને પ્રયોગ કરવાના છે.

આવી રીતે જીવનોદ્ધારક સંગીતકલાના માધ્‍યમ દ્વારા અમો કલાપ્રેમી જીવોને સાધનાના પ્રગતિપથ પર તમે જ લઈ જાવ, એવી ભગવાન શિવ અને પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં પ્રાર્થના કરું છું.’

કુ. તેજલ પાત્રીકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૨.૨૦૧૭)

Leave a Comment