શ્રી મહાવીર જયંતી

 શ્રી મહાવીર જયંતી
(તિથિ : ચૈત્ર સુદ પક્ષ તેરસ)

 

જૈનોના ૨૪મા તીર્થંકર : ભગવાન મહાવીર

ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો. ત્રીસ વર્ષની વયે સંસારનો ત્યાગ કરીને શાશ્વત સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. આત્મદર્શન માટે અગમ્ય જંગલોમાં ઘોર તપ સાધના કરી. અનેક પ્રકારની વેદનાઓ, અડચણોનો સામનો કર્યો. તેમને સાડા બાર વર્ષની કઠોર તપસ્યા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આત્માને પાપ-પુણ્યના કર્મદોષમાંથી મુક્ત કરાવવાની સ્થિતિ એટલે મોક્ષ, એમ તેમણે કહ્યું છે.

તેમણે શીખ આપી કે, પોતાના અંતર્મનમાંના સદગુણો જેવા કે, વિશ્વમૈત્રિ, ધીરજ, પ્રાણીમાત્ર પ્રત્યે દયા ઇત્યાદિ વિકસાવવા અને અંતર્મનના દુર્ગુણો જેવા કે ગુસ્સો, અહંકાર, લોભ-લાલચ ઇત્યાદિ ત્યજી દેવાથી આત્માનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરી શકાય છે.

સંદર્ભ : 1.http://en.wikipedia.org/wiki/Panch_Kalyanak
2.www.deepavali.co.in/mahavir-swami-jayanti-history-hindi.html