વૈશ્‍વિક મહામારી ફેલાવનારા ‘કોરોના વિષાણુ’ પછી હવે આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ સાથે આધ્‍યાત્‍મિક સ્‍તર પર લડવા માટે આ નામજપ કરો !

Article also available in :

‘વર્ષ ૨૦૨૦ થી વિશ્‍વભરના લોકો પર ‘કોરોના વિષાણુ’નું સંકટ છે અને ૨ વર્ષ થવા આવ્‍યા તો પણ હજી તે વિષાણુનો ચેપ લોકોને થઈ જ રહ્યો છે. તેમાં હવે કોરોનાનો નવો પ્રકાર રહેલા ‘ઓમિક્રોન’ નામક વિષાણુ ફેલાઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ‘કોરોના વિષાણુ’ સાથે આધ્‍યાત્‍મિક સ્‍તર પર લડવા માટે કયો નામજપ કરવો અને તે કેટલા સમય સુધી કરવો ?’, તેની જાણકારી, તેમજ તે નામજપનું ધ્‍વનિમુદ્રણ સનાતન સંસ્‍થાના ‘Sanatan.org’ સંકેતસ્‍થળ પર આપવામાં આવ્‍યું. તેનો લાભ વિશ્‍વભરના અનેક લોકોને થયો. હવે ‘ઓમિક્રોન’ વિષાણુ સાથે આધ્‍યાત્‍મિક સ્‍તર પર લડવા માટે કરવાનો નામજપ અહીં આપી રહ્યા છીએ.

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

 

૧. નામજપ

‘ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।’

આ ૫ નામજપોનો એક નામજપ છે અને તે અહીં આપેલા ક્રમ પ્રમાણે વારંવાર બોલવો.

 

૨. નામજપ કરવાનો સમયગાળો

અ. ‘ઓમિક્રોન’ વિષાણુનો ફેલાવો એકાદ વિસ્‍તારમાં થાય તો ત્‍યાંના લોકો તે વિષાણુના બલિ ચડી શકે છે. આવા સમયે તે વિષાણુનો ચેપ પોતાનામાં થવા સામે પ્રતિબંધ કરવા માટે આ નામજપ પ્રતિદિન ૧ કલાક કરવો.

આ. તે વિષાણુનો ચેપ થયો હોય તો તેનું ઉચ્‍ચાટન થવા માટે આ નામજપ ચેપ લાગ્‍યો હોવાની તીવ્રતા અનુસાર આગળ જણાવેલા સમયગાળા માટે પ્રતિદિન કરવો.

વિષાણુનો ચેપ લાગ્‍યો હોવાની તીવ્રતા નામજપ કરવાનો સમયગાળો (કલાક)
૧. મંદ ૧ થી ૨
૨. મધ્‍યમ ૩ થી ૪
૩. તીવ્ર ૫ થી ૬

 ૩. નામજપનું કરેલું ધ્‍વનિમુદ્રણ

નામજપ સાંભળીને તે બોલી શકાય તે માટે તેનું ધ્‍વનિમુદ્રણ સાંભળો

‘ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।’

 

 

૪. ‘કોરોના વિષાણુ’ અને ‘ઓમિક્રોન વિષાણુ’ માં જણાયેલો ફેર

‘કોરોના વિષાણુ’ કરતાં ‘ઓમિક્રોન વિષાણુ’ ઓછો જોખમી હોવાનું આધુનિક વૈદ્ય (ડૉક્‍ટર્સ) કહે છે.

 

કોરોના વિષાણુ ઓમિક્રોન વિષાણુ
૧. સૂક્ષ્મતા અધિક સૂક્ષ્મ ઓછો સૂક્ષ્મ (નોંધ)
૨. ચેપ લાગ્‍યા પછી દેખાતા લક્ષણો તાવ, શરદી અથવા ઉધરસ આવવી પાચનક્રિયા બગડવી
૩. લક્ષણો તરત ધ્‍યાનમાં આવવા/ન આવવા લક્ષણો તરત ધ્‍યાનમાં ન આવવા લક્ષણો તરત ધ્‍યાનમાં આવવા

નોંધ – આપત્‍કાળની તીવ્રતા વધતી હોય ત્‍યારે જે રીતે અનિષ્‍ટ શક્તિઓ સાથે રહેલી લડાઈ સૂક્ષ્મ યુદ્ધથી સ્‍થૂલ યુદ્ધ ભણી (ત્રીજા મહાયુદ્ધ ભણી) પ્રવાસ કરી રહી છે, તેવી રીતે શારીરિક વિકાર ઉત્‍પન્‍ન કરનારી વિષાણુરૂપી અનિષ્‍ટ શક્તિઓ પણ સૂક્ષ્મમાંથી સ્‍થૂલ ભણી જઈ રહી છે. તે અનુસાર ‘કોરોના વિષાણુ’ પછી આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ પણ ઓછા સૂક્ષ્મ છે.

 

૫. પ્રાર્થના

‘અહીં આપેલો નામજપ ગુરુકૃપાથી સહુકોઈને લાભદાયક થઈને ‘ઓમિક્રોન વિષાણુ’ના વિશ્‍વભરમાં થઈ રહેલા પ્રભાવ પર નિયંત્રણ મૂકાય અને તેનો ફેલાવો રોકાય, તેમજ આ નામજપ કરવાના નિમિત્તે અનેક જણને આ આપત્‍કાળમાં સાધના કરવાની ગંભીરતા ધ્‍યાનમાં આવીને તેમના દ્વારા સાધનાનો આરંભ થાય, એ શ્રીગુણુચરણોમાં પ્રાર્થના !’

 

૬. સાધકોને સૂચના !

૧. જે વિસ્‍તારમાં ‘ઓમિક્રોન વિષાણુ’ ના રુગ્‍ણો જોવા મળે છે, ત્‍યાં ‘ઓમિક્રોન વિષાણુ’નો આધ્‍યાત્‍મિક સ્‍તર પર પ્રતિબંધ કરનારો નામજપ કરવાનો હોવાથી વર્તમાનમાં ‘કોરોના’ પર પ્રતિબંધાત્‍મક આધ્‍યાત્‍મિક બળ દેનારો નામજપ (શ્રી દુર્ગાદેવી-શ્રી દત્ત-શિવનો એકત્રિત નામજપ) સાધકો રોકી શકે છે. જે વિસ્‍તારમાં હજી સુધી ‘ઓમિક્રોન વિષાણુ’નો ચેપ લાગ્‍યો નથી, ત્‍યાં વર્તમાનમાં જે પ્રમાણે ‘કોરોના’ પર પ્રતિબંધાત્‍મક આધ્‍યાત્‍મિક બળ આપનારો નામજપ ચાલુ છે, તે પ્રમાણે તે ચાલુ રાખવો.

૨. ‘ઓમિક્રોન વિષાણુ’ અથવા ‘કોરોના’ પર પ્રતિબંધાત્‍મક આધ્‍યાત્‍મિક બળ પ્રદાન કરનારો જપ થયા પછી અન્‍ય સમયે સાધકો વર્તમાનમાં જે રીતે પ્રાણશક્તિવહન પદ્ધતિનુસાર શોધીને નામજપ કરે છે, તે પ્રમાણે જ કરવો.

૩. આ પહેલાં ‘નિર્વિચાર’, ‘ૐ નિર્વિચાર’ અને ‘શ્રી નિર્વિચારાય નમઃ ।’ આ નામજપોના સંદર્ભમાંની સૂચનાઓ સર્વત્રના સાધકોને સ્‍પષ્‍ટ કરવામાં આવી છે. તે પ્રમાણે તે નામજપ ચાલુ રાખવાનો છે.

– સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ, પીએચ.ડી. (૭.૧૨.૨૦૨૧)

Disclaimer : At the outset, Sanatan Sanstha advises all our readers to adhere to all local and national directives to stop the spread of the coronavirus outbreak (COVID-19) in your region. Sanatan Sanstha recommends the continuation of conventional medical treatment as advised by medical authorities in your region. Spiritual remedies given in this article are not a substitute for conventional medical treatment or any preventative measures to arrest the spread of the coronavirus. Readers are advised to take up any spiritual healing remedy at their own discretion.
 

Leave a Comment