ગુજરાત સ્‍થિત ‘દ્વારકાધીશ’ મંદિર અને દ્વારકાપીઠ !

Article also available in :

વિશ્‍વકર્માનિર્મિત ૭ માળનું ‘દ્વારકાધીશ’ મંદિર

 

૧. શ્રીકૃષ્‍ણનગરી દ્વારકા !

૧ અ. સમુદ્રકિનારે વસેલી દ્વારકાનગરી !

શ્રીકૃષ્‍ણએ અવતાર સમાપ્‍તિ પહેલાં દ્વારકા સમુદ્રમાં ડૂબાડી. દુર્વાસ ઋષિના શાપને કારણે યદુકુળનો નાશ થયો. સમુદ્રમાં ડૂબેલી દ્વારકા પાસે રહેલા ભૂભાગને પછી દ્વારકાનું સ્‍થાન પ્રાપ્‍ત થયું.

૧ આ. શિલ્‍પશાસ્‍ત્રકાર વિશ્‍વકર્મા નિર્મિત ‘દ્વારકાધીશ’ મંદિર !

શ્રીકૃષ્‍ણના પ્રપૌત્ર વજ્રનાભે શ્રીકૃષ્‍ણજી માટે એક મંદિર બાંધવાનું નક્કી કર્યું. તેણે તે માટે શિલ્‍પશાસ્‍ત્રકાર વિશ્‍વકર્માનું આવાહન કર્યું. વિશ્‍વકર્માએ આ મંદિરનું નિર્માણ કર્યું. આ મંદિર ૭ માળનું છે. તેના પરનું સર્વ શિલ્‍પકામ દૈવી છે. ‘વિશ્‍વકર્માએ સ્‍વર્ગલોકમાં મંદિરનું નિર્માણ કર્યું અને મંદિરને એકાદ ઉલ્‍કાપાત પ્રમાણે એક રાત્રિમાં દ્વારકા ખાતે લઈ આવ્‍યા’. એવું કહેવાય છે.

દ્વારકાધીશ મંદિરમાંની ‘દ્વારકાધીશ’ નામથી પ્રખ્‍યાત રહેલી શ્રીકૃષ્‍ણમૂર્તિ

૧ ઇ. મંદિર પર રહેલા ધર્મધ્‍વજ અને મંદિરનાં ‘મોક્ષદ્વાર’ તેમજ ‘સ્‍વર્ગદ્વાર’ !

શ્રીકૃષ્‍ણએ દ્વારકાનગરી વસાવી; તેથી અહીંના મંદિરમાંની શ્રીકૃષ્‍ણજીની મૂર્તિને ‘દ્વારકાધીશ’ નામથી સંબોધવામાં આવે છે. મંદિરના મુખ્‍ય કલશ પર એક મોટો ધર્મધ્‍વજ છે. આ ધર્મધ્‍વજ દિવસમાં ૫ વાર પાલટવામાં આવે છે. મંદિરની ઉત્તર ભણી રહેલા દ્વારને ‘મોક્ષદ્વાર’ કહે છે અને દક્ષિણ દ્વારને ‘સ્‍વર્ગદ્વાર’ કહે છે.

 

૨. દ્વારકાપીઠ સ્‍થિત ચંદ્રમૌલીશ્‍વર શિવલિંગ

આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્‍થાપના કરેલું દ્વારકાપીઠ છે.  આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્‍વર શિવલિંગ છે.

– શ્રી. વિનાયક શાનભાગ, દેહલી (૬.૪.૨૦૧૯)

Leave a Comment