વિદેશમાંના જિજ્ઞાસુઓ દ્વારા પણ ધર્માચરણ !

 

હિંદુ ધર્મ અનુસાર શ્રાદ્ધવિધિ કરનારા યુરોપના સાધક શ્રી. વ્લાદિમિર ચિરકોવ્હિચ

      પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કૃપાશીર્વાદથી સ્થાપન થયેલા સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઊંડેશનના વતી આજે સમગ્ર જગત્ના ૧૪ દેશોમાં ધર્મપ્રસાર ચાલુ છે. આ દેશોમાંના જિજ્ઞાસુઓ માટે સંગણકીય પ્રણાલીના માધ્યમ દ્વારા ૧૦ વિદેશી ભાષાઓમાંથી ૫૪ સાપ્તાહિક સત્સંગ લેવામાં આવે છે. હવે વિદેશમાંના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડી પડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્યાદિ વિધિઓ તેઓ વિદેશમાં પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે. એસ્.એસ્.આર્.એફ્.ના માધ્યમ દ્વારા સાધના કરીને અત્યાર સુધી ૧૭ સાધકોએ ૬૦ ટકા અને તેના કરતાં વધારે આધ્યાત્મિક સ્તર પ્રાપ્ત કર્યો છે, જ્યારે ૪ સાધકોએ સંતપદ પ્રાપ્ત કર્યું છે.
   

અમેરિકા અને ક્રોએશિયા દેશોમાં ૫ દિવસનું શિબિર અને નિયમિત પ્રસારકાર્ય ચાલુ છે. SpiritualResearchFoundation.org સંકેતસ્થળની મહિનામાં દેશ-વિદેશના આશરે ૧૦ લાખ વાચકો મુલાકાત લેતા હોય છે. આવી રીતે એસ્.એસ્.આર્.એફ્.ના કાર્યએ હવે સીમારેખા પાર કરી છે અને તેના દ્વારે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની શિખામણનો લાભ સમગ્ર જગત્ના જિજ્ઞાસુઓને મળી રહ્યો છે.
   

અદ્વિતીય શિખામણ દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને મોક્ષમાર્ગ ચીંધનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !

સમગ્ર જગત્ને સહેલી અને શાસ્ત્રીય પરિભાષામાં હિંદુ ધર્મ અને અધ્યાત્મ
વિશે જાણકારી પ્રદાન કરીને આધ્યાત્મિક ઉન્નતિ કરી લેવી, એ જ એસ્.એસ્.આર્.એફ્.નું ધ્યેય છે !

ગૂડીપૂજન કરતી સમયે એસ્.એસ્.આર.એફ્ના સાધિકા સિલ્વિયા દત્તોલી