યુવકો, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના ચૈતન્‍યદાયી ગ્રંથકાર્યનો ધ્‍વજ લહેરાતો રહે તે માટે ગ્રંથનિર્મિતિની સેવામાં સહભાગી થાવ !

Article also available in :

યુવા પેઢી અને વાલીઓને નમ્ર વિનંતિ !

‘સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર કેટલાક સાધકો ગત ૨૦-૨૫ વર્ષોથી ગ્રંથનિર્મિતિની સેવા કરી રહ્યા છે. આ સાધકો હવે સારી રીતે સ્‍વયંપૂર્ણ રીતે ગ્રંથ સિદ્ધ કરી શકે છે. સનાતનના આશરે ૫ સહસ્રોથી વધુ ગ્રંથ હજી સિદ્ધ કરવાના છે. વર્તમાનમાં સેવા કરી રહેલા સાધકો હજી ૨૦-૨૫ વર્ષ સેવા કરી શકશે. ત્‍યાર પછી આ ગ્રંથકાર્ય સંભાળવા માટે આગામી પેઢીએ અત્‍યારથી જ ગ્રંથ સેવામાંની બધી ઝીણવટો, દૃષ્‍ટિકોણ, સાત્ત્વિકતાની દૃષ્‍ટિએ મુખપૃષ્‍ઠો અને ચિત્રો સિદ્ધ કરવા ઇત્‍યાદિ ગહન રીતે શીખી લેવું આવશ્‍યક છે. યુવા સાધકોએ અત્‍યારથી જ આ સેવા શીખવાનો પ્રારંભ કર્યા પછી આગળ ૧૦ – ૨૦ વર્ષમાં તેઓ સ્‍વયંપૂર્ણ બની શકશે.સનાતનના ચૈતન્‍યદાયી ગ્રંથકાર્યનો ધ્‍વજ લહેરાતો રાખવાનું દાયિત્‍વ હવે સર્વસ્‍વ રીતે  યુવા પેઢીનું જ છે. ગ્રંથસેવા એ શ્રેષ્‍ઠ એવા જ્ઞાનશક્તિના સ્‍તરની સેવા હોવાથી શીઘ્ર આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ પણ કરાવી આપનારી છે. તેથી યુવકો, તમારી રુચિ અને ક્ષમતા અનુસાર ગ્રંથનિર્મિતિની સેવામાં સહભાગી થઈને આ સોનેરી તકનો લાભ કરી લો ! વાલીઓ, તમે પણ તમારા સંતાનો અને પૌત્ર-પૌત્રીમાંના ગુણ ઓળખી લઈને તેમને આ નવીનતાપૂર્ણ સાધના-ક્ષેત્ર ભણી વળવા માટે પ્રોત્‍સાહિત કરો !

ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્‍ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્‍યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્‍છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્‍લાસેવકોના માધ્‍યમ દ્વારા મોકલવી.જેઓને સમાજમાં જઈને સમષ્ટી સાધના કરવી સંભવ નથી, તેઓ સંકલન અને ભાષાંતરની સેવાઓ શીખી લઈને ઘરે રહીને પણ તે કરી શકે છે. ગ્રંથની સેવા કરવી એ પણ પરિણામકારી સમષ્ટી સાધના છે.

સંપર્ક ક્રમાંક : ૮૯૮૦૯૬૮૬૪૦, (૮૩૨) ૨૩૧૨૬૬૪

ઇ-મેલ : [email protected]

ટપાલ માટે સરનામું : સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, રામનાથી, ફોંડા, ગોવા ૪૦૩ ૪૦૧.’

Leave a Comment