
હિંગળાજમાતા મંદિર ૫૧ શક્તિપીઠોમાંથી એક છે અને તે પાકિસ્તાનમાં છે. આ ઠેકાણે સતીનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું. તે બલુચિસ્તાનના લારી તાલુકામાં એક ઘનઘોર ખીણમાં આવેલું છે. હિંગોલ નદીના કાંઠે અને મકરાન રણના ખેરથાર ટેકડીમાં વસેલું આ શ્રી હિંગળાજમાતા મંદિર કરોડો હિંદુઓનું શ્રદ્ધાસ્થાન છે.
શ્રી હિંગળાજમાતાની સ્વયંભુ શિલા
શ્રી હિંગળાજમાતા મંદિર એક નૈસર્ગિક ગુફામાં છે. મંદિરમાં માટીની એક વેદી છે. આ મંદિરમાં દેવીની મૂર્તિ હોવાને બદલે સ્વયંભુ શિલા છે. આ શિલા સિંદૂરથી મઢાવેલી છે. તેને સંસ્કૃતમાં ‘હિંગુલા’ કહે છે. તેના પરથી કદાચ શ્રી હિંગળાજમાતા નામ પડ્યું હશે. આ ઠેકાણે શ્રી હિંગળાજમાતાને ‘હિંગુલાદેવી’ તરીકે પણ સંબોધવામાં આવે છે. ગત ૩ દશકોમાં આ મંદિર પુષ્કળ લોકપ્રિય થયું છે. દેવી ડોડિયા રાજપૂતો માટે પ્રથમ કુળદેવી તરીકે પૂજનીય છે. આ પરિસરમાં હિંગળાજમાતા મંદિર સિવાય અન્ય પણ પૂજાસ્થળો છે.’
(સંદર્ભ : સંકેતસ્થળ)
ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !
મંદિરની ભોંય પર સૂઈ રહેવાથી મહિલાઓને સંતાનપ્રાપ્તિ થાય છે ! – દેવીભક્તોની શ્રદ્ધા
જ્યોતિર્મય રૂપ ધરાવતાં કાશી (ઉત્તરપ્રદેશ) ખાતેનાં શ્રી બ્રહ્મચારિણી દેવી
૫૧ શક્તિપીઠોમાંના એક રહેલા પાટલીપુત્ર (પટના) ખાતેનાં બડી અને છોટી પટન દેવીનાં મંદિરો !
કર્ણાટકના હંગરહળ્ળી સ્થિત શ્રી વિદ્યાચૌડેશ્વરીદેવીની આધ્યાત્મિક વિશિષ્ટતાઓ !
દ્વાપરયુગમાં પાંડવોએ એક રાત્રિમાં બાંધેલું બનખંડી, જિલ્લો કાંગડા ખાતેનું શ્રી બગલામુખી મંદિર !