ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ

જગદ્દગુરુ શ્રીકૃષ્‍ણ ભગવાને ‘હું મારા ભક્તનું રક્ષણ કરીશ’ એમ કહ્યું છે. તેથી ઈશ્‍વરના ભક્ત બનો ! તે માટે સનાતનના સાધકોની સહાય લો ! યુદ્ધ જેવી બાહ્ય અને દેશની અંતર્ગત રહેલી સર્વ સમસ્‍યાઓનો ઉકેલ આવે, તે માટે  હિંદુ રાષ્‍ટ્ર જ જોઈએ, એ ધ્‍યાનમાં રાખશો ! ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે હું સક્રિય થઈશ જ’, એવી દ્રઢ સંકલ્‍પરૂપી ગુરુદક્ષિણા ગુરચરણોમાં ભક્તિભાવથી અર્પણ કરશો !

ગુરુપૂર્ણિમા

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !