પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ?

 પિતૃપક્ષમાં  શ્રાદ્ધ કરવાનું  મહત્ત્વ !

શ્રાદ્ધ કહીએ એટલે ઘણાં લોકોના મનમાં  અશાસ્ત્રીય કર્મકાંડ  એવી તે સંદર્ભમાં ભૂલભરેલી છાપ ઉમટે છે. કેટલાક જણ  શ્રાદ્ધ કરવા કરતાં ગોરગરીબોને અન્નદાન અથવા એકાદ નિશાળને સહાય કરો , એમ સૂઝાડે છે ! એવું કરવું એટલે,  એકાદ રોગી પર શસ્ત્રક્રિયા કરવાને બદલે અમે ગરીબોને અન્નદાન કરીશું, શાળાને દાન આપીશું , એવું કહેવા બરાબર છે. શ્રાદ્ધ કરવું, એટલે ધર્મપાલન કરવાનો જ એક ભાગ છે. શ્રાદ્ધ વિશે હિંદુઓમાં રહેલી ગેરસમજ દૂર કરીને તેમને શ્રાદ્ધ વિશે અધ્યાત્મશાસ્ત્રીય માહિતી મળે, તે માટે આ લેખ….

શ્રાદ્ધનું મહત્ત્વ

કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યક્તિઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત લિંગદેહ મર્ત્યલોકમાં અટવાય છે. મર્ત્યલોક એ ભૂલોક અને ભુવલોકની વચ્ચે છે. અતૃપ્ત પૂર્વજોની ઇચ્છા-આકાંક્ષા શ્રાદ્ધવિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવી આપવી, એ શ્રાદ્ધ કરવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ છે.

પિતરો માટે શ્રાદ્ધ ન કરવાથી તેમની ઇચ્છા અતૃપ્ત રહેવાથી, તેમજ આવી વાસના ધરાવતા પિતર અનિષ્ટ શક્તિઓના તાબામાં જઈને તેમનાં દાસ (ગુલામ) બન્યા હોવાથી અનિષ્ટ શક્તિઓએ પિતરોનો ઉપયોગ કરીને કુટુંબીજનોને ત્રાસ આપવાની શક્યતા વધારે હોય છે. નીચે આપ્યા પ્રમાણે કેટલાક પ્રકારના ત્રાસ પૂર્વજોને કારણે થાય છે – ઘરમાં સતત ઝગડો થવો, એકબીજા સાથે અણબનાવ, નોકરી ન મળવી, ઘરમાં પૈસો ન ટકવો, એકાદને ગંભીર માંદગી થવી, સર્વ પરિસ્થિતિ અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો, પતિ-પત્નીનું ન બનવું, ગર્ભધારણા ન થવી, ગર્ભપાત થવો, મતિમંદ કે વિકલાંગ સંતાન નીપજવું અને કુટુંબમાંના એકાદને વ્યસન લાગવું. શ્રાદ્ધવિધિને કારણે પિતરોના ત્રાસ સામે આપણું રક્ષણ થઈને જીવન સુસહ્ય થવામાં સહાયતા થાય છે.

 

શ્રાદ્ધ કોણે કરવું ?

૧. શાસ્ત્રએ પ્રત્યેક વ્યક્તિને પોતાના મૃત માતા-પિતાનું શ્રાદ્ધ અને મહાલય કરવાનો અધિકાર પ્રદાન કર્યો છે.

૨. મૃત વ્યક્તિના સગાંસંબંધીઓ જો વિભક્ત હોય (તેમની રસોઈ જુદી -જુદી બનતી હોય), તો શ્રાદ્ધ માટે એકઠા થઈને આ વિધિ કરવાથી બધાને લાભ થાય છે. આ સંભવ નહીં હોય, તો પ્રત્યેકે જુદો-જુદો શ્રાદ્ધવિધિ કરવો જોઈએ. છોકરો (જનોઈ ન લીધી હોય તો પણ), છોકરી, પૌત્ર, પ્રપૌત્ર, પત્ની, સંપત્તિમાં ભાગીદાર રહેલી છોકરીનો છોકરો, સગો ભાઈ, ભાઈનો છોકરો, કાકાના છોકરાનો છોકરો, પિતા, માતા, વહુ, મોટી અને નાની બહેનના છોકરા, મામા, સપિંડ (સાત પેઢી સુધીના કુળના કોઈ પણ), સમાનોદક (સાત પેઢી પછીનાં ગોત્રનાં કોઈ પણ), શિષ્ય, ઉપાધ્યાય, મિત્ર, જમાઈ ક્રમથી પહેલાં નહીં હોય, તો બીજાએ શ્રાદ્ધ કરવું.

એકત્ર કુટુંબમાં કર્તા વડીલપુરૂષે (કુટુંબમાં ઉંમરમાં મોટા અથવા બધાના ભરણપોષણની જવાબદારી રહેલી વ્યક્તિ) શ્રાદ્ધ કરવા. છૂટા થયા પછી દરેકે સ્વતંત્ર શ્રાદ્ધ કરવું. પ્રત્યેક મૃત વ્યક્તિ માટે શ્રાદ્ધ કરાય અને તેને સદૃગતિ મળે, એવી પદ્ધતિ હિંદુ ધર્મએ તૈયાર કરી છે.

 

શ્રાદ્ધ ક્યારે કરવું ?

૧.  સામાન્યપણે દર વર્ષે મનુષ્યનાં મરવાની તિથીને દિવસે (અંગેજી તારીખ અનુસાર નહીં, તો હિંદુ પંચાંગ પ્રમાણેની તિથીએ) શ્રાદ્ધ કરવું. મૃત્યુતિથી ખબર ન હોય, પણ ફક્ત મહિનો ખબર હોય, એવે સમયે તે મહિનાનાં અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું.

૨. મૃત્યુતિથી અને મહિનો બંને ખબર ન હોય, તો મહા અથવા માગશર અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું.

૩. નિશ્ર્ચિત મૃત્યુતિથી ખબર ન હોય, મૃત્યુની બાતમી મળેલાં દિવસે શ્રાદ્ધ કરવું.

૪. પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું જોઈએ. તે ઉદકથી, એટલે પિતરોને તર્પણ કરીને પણ કરી શકાય છે.

૫. પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું અશક્ય હોય, તો દર્શશ્રાદ્ધ કરવું. એનાથી નિત્ય શ્રાદ્ધની સિદ્ધિ થાય છે. દર્શ એટલે અમાસ.
દર્શશ્રાદ્ધ એટલે દર મહિનાનાં અમાસનાં દિવસે કરવાંનું શ્રાદ્ધ.

૬. દર મહિને દર્શશ્રાદ્ધ કરવું અશક્ય હોય, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાનાં અમાસનાં દિવસે તો કરવી જ.

૭. દર્શશ્રાદ્ધ ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાનાં અમાસનાં દિવસે કરવું શક્ય ન હોય તો ભાદરવા મહિનાનાં પિતૃપક્ષમાં મહાલય શ્રાદ્ધ તો અવશ્ય કરવું. તે પણ અશક્ય હોય તો, ભાદરવો મહિનાનાં અમાસનાં દિવસે (સર્વ પિતૃ અમાસને દિવસે) તો શ્રાદ્ધ કરવું જ.

 

શ્રાદ્ધ માટે યોગ્ય સ્થાન કયું છે ?

વનમાં, પુણ્યસ્થાન પર અથવા બને તો પોતાના ઘરમાં ભોયતળિયે શ્રાદ્ધ કરવું. આપણા ઘરમાં જો શ્રાદ્ધ કરીએ તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. લગભગ ૫૦ ટકા પિતર સાધનાના અભાવથી અને વાસનાઓનું પ્રમાણ અધિક હોવાને કારણે પોતાની પારંપારિક વાસ્તુમાં જ વસવાટ કરતા હોય છે. તેથી એ જ વાસ્તુમાં શ્રાદ્ધ ઇત્યાદિ વિધિ કરવાથી તેમને તેમનો હવિભાગ ગ્રહણ કરવો સહજ શક્ય થાય છે. તેથી પિતર સંતોષ પામવાનું પ્રમાણ પણ વધારે હોય છે. પ્રસંગે અન્યના ઘરમાં તેમની અનુમતિ લઈને શ્રાદ્ધ કરીએ તો પણ ચાલે.

શ્રાદ્ધ માટેની યોગ્ય જગા કઈ ?

૧. દક્ષિણ બાજુએ ઉતરતી એવી જગા શ્રાદ્ધ માટે સારી હોય છે.

૨. ગાયનાં છાણથી લીંપેલી, તેમ જ કીડા વગેરે પ્રાણી અને અપવિત્ર વસ્તુઓ વિનાની ભૂમિ શ્રાદ્ધ માટે સારી હોય છે.

૩. જે જગ્યા કોઈ પણ વ્યક્તિની માલિકીની ન હોય એવાં ઠેકાણા, એટલે વનો, પર્વત, નદીઓ, તીર્થો, મોટાં સરોવરો, દેવાલયો એ ઠેકાણે શ્રાદ્ધ કરવામાં વાંધો નથી.

 

શ્રાદ્ધ માટે લાગનારાં ઉપકરણો

સર્વસાધારણ ઉપકરણો (શ્રાદ્ધદ્રવ્યો) આસન, ત્રણ થાળીઓ, લોટો, આચમની-પંચપાત્ર, દર્ભ, સફેદ ઉન, વસ્ત્ર, ધોતર, જનોઈની જોડી, પંચો, શાલ, ચાદર, સફેદ ગંધ, ઘસેલું ગોપીચંદન, કાજળ અથવાં સુરમા, કપુર, ધૂપ, દીપ, સુવાસિક સફેદ ફુલો, માકા, તુલસી, સોપારી, અગસ્તીનાં પાન, નાગરવેલની ડીંટા સાથેની પાનો, સાતુ, વ્રીહી (ન સડેલાં ચોખા), યવ (જવ), ઉડદ, ઘઉં, સાવ, મગ અને રાઈ, મધ, છૂટાં પૈસા, ભસ્મ, કેળાંનાં પાન અથવા મોહાની પત્રાવળી, કેળાંનાં દડિયા, તૈયાર થયેલી રસોઈ, ઘી અને સમય અનુસાર દક્ષિણા.

પિંડ કેવી રીતે બનાવવા ?

ભાતમાં તલનું પાણી, વડા અને ખીર નાખીને, ભાત ભૂસીને સાધારણપણે લિંબુ જેટલાં ગોળ, ફૂટી ન જાય એવાં, સરસ ઘટ્ટ પિંડ બનાવવાં. પિતૃત્રયી માટે થોડાં મોટા પિંડ કરવાંની પદ્ધત છે; તે કૃતજ્ઞતામૂલક છે. પિંડ માટે શ્રાદ્ધને માટે બનાવેલાં બધાં અન્નમાંથી થોડો થોડો ભાગ લેવો, એવું શાસ્ત્ર છે. શ્રાદ્ધમાં મુખ્ય પિંડ પહેલાની ત્રણ પેઢીઓ માટે જ હોય છે, તો પણ તેની આગળની પેઢીઓમાંથી કોઈને ગતિ મળી ન હોય તેને માટે શ્રાદ્ધમાં ધર્મપિંડ અપાય છે. આવી રીતે શ્રાદ્ધ એ હિંદુ ધર્મમાં કહેલી એક પરિપૂર્ણ વિધિ છે.

 

શ્રાદ્ધની વિધિ અને ભોજન માટે વાપરવાનાં વાસણો

યોગ્ય વાસણો

સ્વચ્છ ધોયેલાં, તેમ જ સોના, રૂપા, કાંસાનાં અને માટીનાં નવાં વાસણો. પ્રસંગે અન્ન મૂકવાં અને પીરસવાં લાકડાંનાં વાસણો ઉત્તમ છે.

અયોગ્ય વાસણો

શ્રાદ્ધને સમયે લોખંડનાં, સ્ટીલનાં અથવા કોઈપણ તૂટેલાં વાસણો અને શસ્ત્રો પિતરોની નજરે પડે નહીં, એનું ધ્યાન રાખવું. લોખંડનાં દર્શનથી પિતર પાછા ફરી જાય છે.

 

પિતૃપક્ષમાં દત્તભગવાનનો નામજપ વધારેમાં વધારે કરો !

અતૃપ્ત પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ થવા માટે આખું
વર્ષ પ્રતિદિન  શ્રી ગુરુદેવ દત્ત   આ નામજપ નીચે જણાવ્યા પ્રમાણે કરવો.

૧. હમણાં જો ત્રાસ ન હોય, તો આગળ જતાં થાય નહીં તે માટે અથવા થોડોક ત્રાસ હોય, તો નામજપ ઓછામાં ઓછો ૧ થી ૨ કલાક સુધી કરવો.

૨. જો મધ્યમ સ્વરૂપનો ત્રાસ હોય, તો નામજપ ઓછામાં ઓછો ૨ થી ૪ કલાક કરવો.

૩. જો તીવ્ર સ્વરૂપનો ત્રાસ હોય, તો નામજપ ઓછામાં ઓછો ૪ થી ૬ કલાક કરવો.

સંપૂર્ણ પિતૃપક્ષમાં પ્રતિદિન પ્રત્યેકે દત્તભગવાનનો નામજપ સતત (વધારેમાં વધારે) કરવો. તેમ જો ન બને તો ઉપર જણાવ્યા પ્રમાણે પોતપોતાના ત્રાસની તીવ્રતા અનુસાર કરવો.

 

શ્રાદ્ધપક્ષની  સાથે જ પ્રતિદિન  સાધના પણ કરવી  !

શ્રાદ્ધવિધિ કરવાથી પૂર્વજોને ગતિ મળે છે. તેમના દ્વારા આપણને ત્રાસ થવાની શક્યતા ઘટી જાય છે. તેથી અનિષ્ટ શક્તિઓનો પ્રભાવ અને વાયુમંડળમાં વિદ્યમાન રજ-તમ વધી જવાથી પોતાની ફરતે હંમેશાં સુરક્ષા-કવચ બની રહે તે માટે નિત્ય સાધના કરતા રહેવું, એ જ સર્વોત્તમ ઉપાય છે. સાધના એટલે કે ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રતિદિન કરવામાં આવતાં પ્રયત્નો. માનવીનો જન્મ જ મૂળમાં ઈશ્વરપ્રાપ્તિ કરવા માટે એટલે જ કે સાધના કરવા માટે થયો છે. તે માટે આજે જ નહીં પણ હમણાથી જ સાધનાનો આરંભ કરવો. આ વર્ષે પિતૃપક્ષ ૨૫ સપ્ટેંબરથી ૯ ઑકટોબર સુધી છે.

 

શ્રાદ્ધવિધિમાં નીચે આપેલી અયોગ્ય કૃતિઓ ન કરવી

૧. પિંડદાન ઉપરાંત પિંડને પાણીમાં વિસર્જિત ન કરવું

૨. પિંડોને નૈવેદ્યરૂપમાં અર્પણ કરેલા ખીર-વડાનું ઘરના સદસ્યો દ્વારા સેવન

કેટલાંક અભ્યાસહીન પુરોહિત આ પ્રકારની અશાસ્ત્રીય કૃતિઓ કરવાનું કહે છે અને યજમાન પણ તેમની સાથે સહમત હોય છે. તેને બદલે શાસ્ત્ર સમજી લઈને યોગ્ય પદ્ધતિથી કૃતિ કરવાથી તે આપણા અને પિતરો માટે પણ લાભકારી થશે. અજ્ઞાનને કારણે આવી અશાસ્ત્રીય કૃતિ થાય નહીં, તે બાબત સામે ધ્યાન આપવું.

સંદર્ભ
સનાતન-નિર્મિત ગ્રંથ : શ્રાદ્ધનું મહત્ત્વ અને શાસ્ત્રીય વિવેચન અને શ્રાદ્ધમાંની કૃતિઓ પાછળનું અધ્યાત્મશાસ્ત્ર