વાસ્તુશાસ્ત્ર – સહસ્રો વર્ષો પહેલાં વાસ્તુશાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ કરનારો મહાન હિંદુ ધર્મ !
માનવીનું આયુષ્ય કેટલાંક વર્ષોનું હોય છે, જ્યારે દેવતા ચિરંતન છે. તેને કારણે ભારતમાં પ્રાચીન કાળથી માનવી માટે કેટલાંક દસકા અથવા શતક ટકી શકે તેવા માટીના ઘર બનાવવામાં આવતા હતાં, જ્યારે દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સહસ્રો વર્ષો ટકી શકે તેવા પત્થરનાં મંદિરોમાં કરવામાં આવતી હતી.